PM Modi એ લીધી Covaxin, વેક્સીનેશન પર સવાલ ઉઠાવનારની કરી બોલતી બંધ

એએનઆઇના અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin) નો પ્રથમ ડોઝ લીધો છે અને દિલ્હી સ્થિત એમ્સમાં કામ કરનાર પુડુચેરીની નર્સ પી નિવેડા (Sister P Niveda) એ વેક્સીન આપી હતી.

PM Modi એ લીધી Covaxin, વેક્સીનેશન પર સવાલ ઉઠાવનારની કરી બોલતી બંધ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ સોમવારે (1 માર્ચ) સવારે કોરોના વાયરસ વેક્સીન (Corona Vaccine) નો પ્રથમ ડોઝ દિલ્હીના એમ્સ (AIIMS) માં લગાવ્યો. આ વાતની જાણકારી તેમણે પોતે ટ્વીટ કરી હતી. તમને જણાવી દઇએ કે 1 માર્ચથી કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive)નો બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે અને તેના હેઠળ હવે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. આ ઉપરાંત 45 થી 59 વર્ષની ઉંમરવાળા તે લોકોને પણ વેક્સીનેશન કરવામાં આવશે, જેમને પહેલાંથી કોઇ મોટી બિમારી છે. 

વિપક્ષને આકરો જવાબ
દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનનું કામ શરૂ થયું હતું, ત્યારથી કોરોના વોરિયર્સને વેક્સીન આપવામાં આવી. આ દરમિયાન ઘણીવાર માંગ ઉઠી હતી કે પ્રધાનમંત્રી મોદીને પણ વેક્સીન લેવી જોઇએ, જેથી લોકોમાં વિશ્વાસ જાગે. સાથે જ કેટલાક રાજકીય દળો, રાજ્ય સરકારોએ જન-પ્રતિનિધિઓને વેક્સીન મળવાની વાત કહી હતી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 1, 2021

તમામ યોગ્ય વ્યક્ત રસી લગાવે: પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ટ્વીટ કરીને કહ્યું કે 'એમ્સ (AIIMS) માં કોવિડ 19 વેક્સીન (Covid-19 Vaccine) નો પ્રથમ ડોઝ લીધો. ઉલ્લેખનીય છે કે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોવિડ 19 વિરૂદ્ધ વૈશ્વિક લડાઇને મજબૂત કરવા માટે ઓછા સમયમાં કામ કર્યું છે. હું તે તમામને રસી લગાવવાની અપીલ કરું છું, જે વૈક્સીન લેવા માટે યોગ્ય છે. સાથે આવે અને ભારતને કોરોના વાયરસ મુક્ત બનાવે. 

Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.

I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv

— Narendra Modi (@narendramodi) March 1, 2021

પીએમ મોદીએ લગાવી સ્વદેશી વેક્સીન
એએનઆઇના અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin) નો પ્રથમ ડોઝ લીધો છે અને દિલ્હી સ્થિત એમ્સમાં કામ કરનાર પુડુચેરીની નર્સ પી નિવેડા (Sister P Niveda) એ વેક્સીન આપી હતી. તમને જણાવી દઇએ કે કોવેક્સીન, ભારત બાયોટેક દ્રારા નિર્મિત વેક્સીન છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ કોવેક્સીન ઉપરાંત ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની વેક્સીન કોવિશિલ્ડ  (Covishield) ને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે અનુમતિ આપી છે.

— ANI (@ANI) March 1, 2021

સતત વધી રહ્યા છે કેસ
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં બુધવારે 6 દિવસમાં ત્રીજીવાર સંક્રમણના કેસ 13 હજારથી વધુ સામે આવ્યા છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર, કેરલ, ગુજરાત, પંજાબ, કર્ણાટક અને જમ્મૂ કાશ્મીર સહિત ઘણા રાજ્યો તથા કેંદ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ 19ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખતાં ઉચ્ચસ્તરીય ટીમ મોકલી છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં કોવિડ 19 રસીકરણના આગામી તબક્કાના અભિયાનને લઇને નિર્ણય કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news