LIVE: સુષમાજીનો પાર્થિવ દેહ સ્મશાનગૃહ પહોંચ્યો, થોડીવારમાં થશે અંતિમસંસ્કાર

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે એઈમ્સમાં નિધન થયું છે. મંગલવારે રાત્રે હૃદયરોગના હુમલા પછી અત્યંત નાજુક સ્થિતિમાં તેમણે રાત્રે 9.00 કલાકે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોનાં પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. હવે થોડા સમયમાં જ તેમનો નશ્વર દેહ અનંત સફરે લઈ જવાશે.

LIVE: સુષમાજીનો પાર્થિવ દેહ સ્મશાનગૃહ પહોંચ્યો, થોડીવારમાં થશે અંતિમસંસ્કાર

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે એઈમ્સમાં નિધન થયું છે. મંગલવારે રાત્રે હૃદયરોગના હુમલા પછી અત્યંત નાજુક સ્થિતિમાં તેમણે રાત્રે 9.00 કલાકે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોનાં પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. હવે તેમના નશ્વર દેહને અંતિમ સફરે લઈ જવાઈ રહ્યો છે.

LIVE અંતિમ યાત્રા

4.00 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ સરકારમાં સફળ વિદેશમંત્રી રહેલા સુષમા સ્વરાજને અંતિમ વિદાય આપી. 
4.00 : લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આપી શ્રદ્ધાંજલિ.
3.58 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ. 
3.57: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સુષમા સ્વરાજને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. 
3.56: આપ પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આપ પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ આપી શ્રદ્ધાંજલિ. 
3.55 : લાલકૃષ્ણ અડવાણીએ તેમને શ્રદ્ધાંજલિ આપી. પ્રથમ વખતે અંતિમ દર્શન કરતા સમયે અડવાણીજી ખુબ જ ભાવૂક થઈ ગયા હતા. 
3.53 : સુષમા સ્વરાજના અંતિમ સંસ્કારની તમામ વિધિ તેમની દીકરી પૂરી કરી રહી છે. 
3.52 : ભુટાનના રાજદૂત પણ અંતિમયાત્રામાં હાજરી આપવા સ્મશાનગૃહ પહોંચ્યા છે. 
3.50: સુષમા સ્વરાજના પાર્થિવ દેહને સ્મશાનગૃહમાં હાજર નેતાઓ અને લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.  
3.45: સુષમા સ્વરાજના પાર્થિવ દેહને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. 
3.45: સુષમા સ્વરાજનો પાર્થિવ દેહ સ્મશાનગૃહ પહોંચી ચૂક્યો છે. 
3.40 : સુષમા સ્વરાજના નિધન પર દિલ્હી-હરિયાણામાં બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરાઈ છે.
3.40: પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજના અંતિમ સંસ્કાર લોધી રોડ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવાના છે. 
3.35 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ સ્મશાન ગૃહ પહોંચી ચૂક્યા છે. 
3.30 : રાજનાથ સિંહ, પિયુષ ગોયલ, જે.પી. નડ્ડાએ કાંધ આપી હતી.

— ANI (@ANI) August 7, 2019

3.25: ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને અન્ય પક્ષના નેતાઓ તેમની અંતિમયાત્રામાં જોડાયા છે. 
3.20 : સુષમા સ્વરાજના નશ્વર દેહને અંતિમ સંસ્કાર માટે ભાજપ પ્રદેશ કાર્યાલયથી સ્મશાનગૃહ તરફ લઈ જવાઈ રહ્યો છે. 

સુષમાજીના નશ્વરદેહને અંતિમ સફરે લઈ જવા તે પહેલા ત્રિરંગામાં લપેટવામાં આવ્યો હતો. આ ક્ષણે તેમની દીકરી અને તેમના પતિએ સેલ્યુટ કરીને અત્યંત ભારે હૃદય સાથે સુષમાજીને અંતિમ વિદાય આપી હતી. 

LIVE: ત્રિરંગામાં લપેટવામાં આવ્યો સુષમાજીનો પાર્થિવ દેહ, પતિ-દીકરીએ સેલ્યુટ કરી આપી વિદાય

 

— ANI (@ANI) August 7, 2019

તિબેટિનય ધર્મગુરૂ દલાઈ લામાએ પણ સુષમા સ્વરાજના નિધન પર શોખ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સુષમા સ્વરાજે પોતાના કામ માટે દુનિયામાં પ્રતિષ્ઠા મેળવી છે. તેમના નિધન પર તેમના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કરે છે. 

— ANI (@ANI) August 7, 2019

MDH મસાલાના માલિક ધર્મપાલ ગુલાટી સુષમા સ્વરાજને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા ત્યારે અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાંથી અશ્રુધારા અટકતી ન હતી. 

— ANI (@ANI) August 7, 2019

 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news