ચૂંટણી લડ્યા વગર જ MLA બની ગયા હતા આ નેતાજી! પ્રધાનમંત્રી બનતા બનતા પણ જરાક માટે રહી ગયા!

ઉત્તરપ્રદેશના રાજકારણની કેટલીક કહાનીઓ એવી છે જેને જાણીને તમે પણ ચોંકી જશો. તો આજે ઉત્તરપ્રદેશના એવા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિશે વાત કરવી છે જે ચૂંટણી લડ્યા વગર જ બની ગયા હતા ધારાસભ્ય
 

ચૂંટણી લડ્યા વગર જ MLA બની ગયા હતા આ નેતાજી! પ્રધાનમંત્રી બનતા બનતા પણ જરાક માટે રહી ગયા!

નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશની ચૂંટણી ખૂબ નજીક છે. તારીખો જાહેર કરવામાં આવી છે. જોકે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, પરંતુ બધાની નજર યુપીની ચૂંટણી પર છે. આવું કંઈ પ્રથમ વખત નથી થઈ રહ્યું. યુપીની રાજનીતિ હંમેશા સમગ્ર દેશમાં કેન્દ્ર બિન્દુ બની રહે છે. આ રાજ્યે દેશને ઘણા મોટા નેતાઓ આપ્યા છે. આજે આપણે એવા જ એક 'નેતાજી' વિશે વાત કરીએ, જેની સાથે જોડાયેલો કિસ્સો આશ્ચર્યજનક છે કારણ કે તેઓ ચૂંટણી લડ્યા વિના ધારાસભ્ય બન્યા હતા

આ કહાની મુલાયમ સિંહ યાદવની છે-
મુલાયમ સિંહ યાદવ યુપીના મોટા નેતાઓમાંના એક છે અને તેઓ 'નેતાજી' તરીકે પ્રખ્યાત છે. તેઓ 3 વખત યુપીના સીએમ બન્યા અને દેશના રક્ષા મંત્રી પણ રહ્યા. પરંતુ એક સમય એવો હતો જ્યારે મુલાયમ સિંહ યાદવ ચૂંટણી લડ્યા વગર ધારાસભ્ય બની ગયા હતા. તેની પાછળની વાર્તા ખૂબ જ રસપ્રદ છે.

મિત્રો MLA કહીને જ બોલાવતા હતા-
જ્યારે મુલાયમ સિંહ યાદવ કોલેજ કાળમાં વિદ્યાર્થી રાજકારણમાં એટલા ડૂબેલા હતા કે તેમના સાથીદારો અને મિત્રો તેમને MLA કહેવા લાગ્યા હતા. તે સમયે તેઓ ઈટાવાની કે કે કોલેજમાં ભણતા હતા. અહીંથી તેમણે ગ્રેજ્યુએશન કર્યું અને સમાજવાદી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈને વિદ્યાર્થી રાજકારણમાં આવ્યા. તેઓ વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડ્યા અને જીત્યા. આ દરમિયાન તેમણે નામની રાજનીતિ તો નથી જ કરી પરંતુ ઘણું કામ પણ કર્યું છે. તેઓ વિદ્યાર્થીઓની તમામ સમસ્યાઓના નિરાકરણ માટે કામ કરતા હતા. તેનો સંપર્ક પણ સારો હતો એટલે તેના મિત્રો કોલેજની અંદર તેમજ બહારનું કામ તેના નામે કરાવતા હતા. ત્યારે મિત્રો મુલાયમ સિંહ યાદવને MLA તરીકે બોલાવવા લાગ્યા.

1967માં 'રિયલ' ધારાસભ્ય બન્યા-
મુલાયમ સિંહ યાદવને ધારાસભ્ય તરીકે બોલાવતા મિત્રોના વચન વ્યર્થ ન ગયા. તેઓ 1967માં જસવંતનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. આ પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી અને મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચી ગયા હતા. હાલમાં મુલાયમ સિંહ યાદવ સમાજવાદી પાર્ટીના સંરક્ષકની ભૂમિકામાં છે. તેમના પુત્ર અખિલેશ યાદવ પણ યુપીના સીએમ રહી ચૂક્યા છે અને તેમની પાર્ટી વર્તમાન સત્તાધારી પાર્ટી ભાજપને ટક્કર આપી રહી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news