શું તમે પણ બાંધેલો લોટ વધે તો ફ્રીજમાં મૂકી દો છો? સાવધાન થઈ જજો...થાય છે ખતરનાક અસર!

શું તમને ખબર છે કે વધેલા બાંધેલા લોટની રોટલી ભાખરી બનાવીને ખાવાથી શું નુકસાન થાય છે? ખાસ જાણો વિશેષજ્ઞો શું કહે છે આ વિશે...

શું તમે પણ બાંધેલો લોટ વધે તો ફ્રીજમાં મૂકી દો છો? સાવધાન થઈ જજો...થાય છે ખતરનાક અસર!

આપણા ત્યાં મોટાભાગે એવું બનતું હોય છે કે સવારે કે સાંજે રોટલી કે ભાખરી બનાવવા માટે લોટ બાંધીએ તો તે બધો પૂરો થઈ જતો નથી અને પછી ગૃહિણોએ બગાડ ન થાય તે હેતુથી વધેલો બાંધેલો લોટ ફ્રીજમાં મૂકી દે છે. ત્યારબાદ જ્યારે પણ જરૂર પડે ત્યારે ફ્રીજમાંથી કાઢીને તેમાંથી રોટલી કે ભાખરી બનાવી લે છે. શું તમને ખબર છે કે આ રીતે વધેલા બાંધેલા લોટની રોટલી ભાખરી બનાવીને ખાવાથી શું નુકસાન થાય છે? ખાસ જાણો વિશેષજ્ઞો શું કહે છે આ વિશે...

બીમાર પડી જશો!
બાંધેલો લોટ ફ્રીજમાં સ્ટોર કરવાથી તેમા ફ્રીજનો હાનિકારક ગેસ પ્રવેશે છે. આવામાં આ લોટની રોટલી ખાવાથી તમે બીમાર પડી શકો છો. 

પેટ સંબંધિત સમસ્યા
લોટ બાંધ્યા બાદ તેમાં ફર્મેન્ટેશનની પ્રક્રિયા શરૂ થાય છે. તેનાથી લોટમાં બેક્ટેરિયા પેદા થવા લાગે છે. ફ્રીજમાં રાખેલા લોટથી રોટલી બનાવો તો તેનાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે. વાસી લોટની રોટલી ખાવાથી પેટનો દુ:ખાવો, કબજિયાત, પેટ સંબંધિત અન્ય સમસ્યા થઈ શકે છે. 

ઈમ્યુનિટી નબળી પડશે
વાસી લોટની રોટલી ખાવાથી ડાઈજેશન પર અસર થાય છે અને તેનાથી ઈમ્યુનિટી પણ નબળી પડે છે. લોટ  બાંધી લીધા બાદ તેનો ફટાફટ ઉપયોગ કરી  લો. કારણ કે એક કલાક બાદ તેમાં રાસાયણિક ફેરફાર થવા લાગે છે. જો આ રહેવા દીધેલા વાસી લોટની રોટલીઓ કે પરોઠા, ભાખરી ખાશો તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. 

(Disclaimer: અહીં અપાયેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news