Smelly Shoes: શું તમે જૂતામાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો? તો આ ટિપ્સ દૂર કરશે તમારી સમસ્યા

Smelly Shoes: કોર્પોરેટ ઓફિસ હોય કે પછી કોઈ પણ સ્થળ, માણસ પોતાના આગવી વ્યક્તિત્વ થકી ઓળખાય છે. માણસના વ્યક્તિત્વને ભરાવદાર બનાવવામાં સુગંધનું મહત્વ રહેલું છે. ઘણા લોકો પોતાના શાનદાર વેષને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ એજ વ્યક્તિ જો ખરાબ ગંધ મારતા જૂતા પહેરે તો તેના વ્યક્તિત્વનું કોઈ મુલ્ય રહેતું નથી. ઘણીવાર તો તેની આસપાસ બેઠા લોકો પણ તેનાથી દૂર બેસે છે.

Smelly Shoes: શું તમે જૂતામાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો? તો આ ટિપ્સ દૂર કરશે તમારી સમસ્યા

Smelly Shoes: એમાં કોઈ શંકા નથી કે ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમીને કારણે પરસેવો ખુબ આવે. કેટલાક લોકોને એટલો પરસેવો આવે છે કે ઘણીવાર તેમને જાહેરમાં શર્મિંદા થવું પડે છે. પરસેવા સુધી તો ઠીક પણ જો તે વ્યક્તિએ સ્પોર્ટ્સ શુઝ પહેર્યા હોય અને ઉતાર્યા બાદ તેમાંથી એકદમ ખરાબ દુર્ગંધ આવે તો વ્યક્તિ ખુબ શર્મિંદા થઈ જાય છે.

જૂતાની દુર્ગંધની સમસ્યા સ્ત્રી અને પુરુષ બંનેને થાય છે. જૂતાની બરાબર સફાઈ કર્યા પછી પણ ઘણા લોકોના શૂઝમાંથી દુર્ગંધ આવે છે અને ઉનાળામાં આ સમસ્યા વધી જાય છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમના જૂતામાંથી દુર્ગંધ આવે છે, તો કેટલાક સરળ અને ઘરગથ્થુ ઉપાયોથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

1) તમારા શૂઝ અને ઈન્સોલ્સ બરાબર ધોવા-
તમારા પગરખાં અને ઈન્સોલ્સ ધોવાથી શૂઝ તાજા રહે છે અને દુર્ગંધ આવતી નથી. પગરખાંને ઠંડા પાણીથી અને હાથથી ધોવા શ્રેષ્ઠ છે. જો તમે ડિટર્જન્ટનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો તમે લાઈસોલ અથવા પાઈન સોલ જેવા થોડું જંતુનાશક પણ ઉમેરી શકો છો. જો તમે વોશિંગ મશીનનો ઉપયોગ કરો છો, તો મશીનને હળવા સેટિંગ પર મૂકો. પગરખાં ધોયા પછી ખુલ્લી હવામાં સૂકવવા શ્રેષ્ઠ છે, કારણ કે તેને કપડાંના ડ્રાયરમાં સૂકવવાથી પગરખાંને નુકસાન થઈ શકે છે.

2) ફળની છાલથી ગંધ દૂર કરો-
કેટલાક ફળો જૂતાની ગંધ દૂર કરવામાં મદદ કરી શકે છે. આ માટે નારંગી, મોસંબી અથવા લીંબુની છાલ લો અને તેને રાત્રે જૂતાની અંદર રાખો અને બીજા દિવસે સવારે તેને કાઢી નાખો. આમ કરવાથી જૂતામાંથી દુર્ગંધ નહીં આવે.

3) દેવદારના લાકડામાંથી ગંધ દૂર કરો-
દેવદારનું લાકડું ફૂગપ્રતિરોધી ગુણોથી ભરપૂર હોય છે. તેથી, જો તમે ઇચ્છો તો, પગરખાંના બેક્ટેરિયા અને ફૂગનો નાશ કરવા માટે દેવદારના લાકડાને રાતોરાત જૂતામાં છોડી દો.

4) કોપર ફાઇબર અથવા કોટન મોજાં પહેરો-
જો તમે ટાઈટ પગરખાં પહેરો છો, જેમાંથી હવા પણ પસાર થતી નથી, તો હંમેશા કોપર ફાઇબરથી વણાયેલા મોજાંનો ઉપયોગ કરો. આવા મોજાં બેક્ટેરિયા અને ફૂગને રોકી શકે છે અને તેથી દુર્ગંધ નહીં આવે. બજારમાં એન્ટી-બેક્ટેરિયલ મોજાં પણ આવે છે જે શુદ્ધ કોટનમાંથી બનેલા હોય છે, તમે આ મોજાનો પણ ઉપયોગ કરી શકો છો.

5) જૂતા અને સેન્ડલ જંતુનાશકનો ઉપયોગ કરો-
જ્યારે તમે સાંજે ઘરે આવો છો, જ્યારે તમે તમારા પગરખાં ઉતારો છો, ત્યારે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો. ખરેખર, જૂતામાં ગરમીને કારણે દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. જો તમે જૂતા અથવા સેન્ડલ પર જંતુનાશક દવાનો છંટકાવ કરશો, તો તે નાશ પામશે અને બીજા દિવસે તમારા જૂતામાંથી ગંધ પણ નહીં આવે.

6) પગમાં લગાવો ડિયોડરન્ટ-
તમારા પગ પર ડિયોડરન્ટનો ઉપયોગ કરવાથી ગંધ પેદા થતા બેક્ટેરિયા અને ફૂગથી છુટકારો મેળવી શકાય છે. બજારમાંથી સારું ડિયોડરન્ટ લઈ તેનો ઉપયોગ કરી શકાય. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું કે ડિયોથી સ્કિન ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

7) જૂતાને ઠંડી, સૂકી જગ્યાએ રાખો-
ઠંડુ હવામાન બેક્ટેરિયા અને ફૂગના વધવાથી રોકે છે. જો તમે તમારા પગરખાંને ઠંડા અને સૂકા રૂમમાં રાખો છો, જેમાં હવા હોય છે, તો તે જૂતામાં બેક્ટેરિયાનો વિકાસ અટકાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news