કોણી અને ઘૂંટણની કાળી પડેલી ત્વચાને 1 દિવસમાં દુર કરશે આ દેશી ઈલાજ, સાફ થઈ જશે સ્કીન

Home Remedies For Knees and Elbows: નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કોણી અને ઘૂંટણની ત્વચા ખૂબ જ ઝડપથી શુષ્ક થઈ જાય છે જેના કારણે તે નિર્જીવ દેખાવા લાગે છે. આ ભાગોમાંથી કાળાશ દૂર કરવા માટે આ સ્ક્રબનો ઉપયોગ કરી શકાય છે.

કોણી અને ઘૂંટણની કાળી પડેલી ત્વચાને 1 દિવસમાં દુર કરશે આ દેશી ઈલાજ, સાફ થઈ જશે સ્કીન

Home Remedies For Knees and Elbows: મોટાભાગના લોકો ચહેરાની જેટલી કાળજી લે છે તેટલી કાળજી તેઓ શરીરના અન્ય ભાગોની લેતા નથી. જેમાં સૌથી પહેલા આવે છે ઘૂંટણ અને કોણી. જો તમે ધ્યાનથી જોશો તો અહીંની ત્વચા કાળી અને વિકૃત દેખાશે. આવી ત્વચાના કારણે ઘણી વખત પરેશાનીનો પણ સામનો કરવો પડે છે. જો તમે પણ કોણી અને ઘૂંટણની કાળાશથી પરેશાન છો તો તમારા માટે ઉપયોગી એવો દેશી ઈલાજ જણાવીએ. આ દેશી ઈલાજ તમને આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. 

આ પણ વાંચો:

સ્ક્રબ બનાવવાની સામગ્રી

બે લીંબુનો રસ
એક મોટો ચમચો ખાંડ

સ્ક્રબ બનાવવાની રીત

એક બાઉલમાં લીંબુનો રસ કાઢી અને તેમાં ખાંડ ઉમેરી તેને બરાબર મિક્સ કરો. ખાંડને તેમાં ઓગાળવાની જરૂર નથી. લીંબુના રસમાં તેને મિક્સ કરી આ મિશ્રણને સ્ક્રબ તરીકે ઉપયોગમાં લેવાનું છે. કોણી અને ઘૂંટણ પર આ મિશ્રણ લગાવો અને હળવા હાથે મસાજ કરો. દસ મિનિટ મસાજ કર્યા પછી હુંફાળા ગરમ પાણીથી હાથ-પગ સાફ કરી લો. સારું પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત આ સ્ક્રબનો ઉપયોગ કરો. 

આ ઉપરાંત તમે નારિયેળ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. નારિયેળ તેલમાં વિટામીન ઈ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. તેનાથી કોણી અને ઘૂંટણ પરની કાળાશ પણ દૂર થાય છે. રાત્રે સૂતા પહેલા દરરોજ કોણી અને ઘૂંટણ પર નારિયેળ તેલ લગાવવું. તેનાથી ત્વચાની કાળાશ અને શુષ્કતા દૂર થઈ શકે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news