ઉડતા પ્લેનમાં જો બધા યાત્રીઓ એકતરફ એકઠા થઈ જાય તો શું થાય જાણો છો તમે ?

The Science Of Steady Flight: પ્લેન દરેક રીતે સંતુલિત હોવું જરૂરી છે. એટલા માટે જ પ્લેનની સીટો એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે હવામાં ઉડતી વખતે પ્લેનનું વજન સટીક રહે અને તેને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

ઉડતા પ્લેનમાં જો બધા યાત્રીઓ એકતરફ એકઠા થઈ જાય તો શું થાય જાણો છો તમે ?

The Science Of Steady Flight: આજે ટેક્નોલોજી અને ફિઝિક્સની મદદથી કેટલાય મોટા એરોપ્લેન આકાશમાં ઊંચે ઉડી રહ્યા છે... પરંતુ ઘણી વખત આપણા મનમાં આ સવાલ ચોક્કસ આવે છે કે શું હવામાં ઉડતું પ્લેન અસંતુલિત ન થઈ શકે. જો કોઈ કારણસર પ્લેનમાં બેઠેલા તમામ મુસાફરો એક તરફ ભેગા થઈ જાય તો શું પ્લેન આકાશમાં સરળતાથી ઊડી શકશે? વિજ્ઞાન અનુસાર જો પ્લેનના તમામ પેસેન્જર એક તરફ આવી જાય તો પ્લેન સંપૂર્ણ રીતે અસંતુલિત થઈ શકે છે. આ સાથે જો યાત્રીઓ આવું કરે તો તેઓ પ્લેન દુર્ઘટનાનો શિકાર પણ બની શકે છે.

આ પણ વાંચો:

શું છે તેના પાછળનું સાયન્સ? 

કેલિફોર્નિયા એરોનોટિકલ યુનિવર્સિટીના રિપોર્ટનું માનીએ તો  પ્લેનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હોય છે કે તેનો દરેક ભાગ સંપૂર્ણ રીતે સંતુલિત રહે. પ્લેનના સંતુલન અંગે પણ, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAF) પાયલટ માટે એક નિયમબુટ 'વેટ એન્ડ બેલેન્સ હેન્ડબુક' પણ બહાર પાડવામાં આવે છે, જેમાં પ્લેન વિશેની દરેક માહિતી લખવામાં આવે છે. પ્લેનના હવામાં ઉડવા પાછળ ગુરુત્વાકર્ષણનો બહુ મોટો ફાળો છે અને ગુરુત્વાકર્ષણના નિયમનું પાલન કરવા માટે પ્લેન દરેક રીતે સંતુલિત હોવું જરૂરી છે. એટલા માટે જ પ્લેનની સીટો એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે હવામાં ઉડતી વખતે પ્લેનનું વજન સટીક રહે અને તેને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. 

પ્લેનના આગળના ભાગમાંથી જ કેમ ચડે છે મુસાફરો ?

તમારા મનમાં પણ એક મોટો પ્રશ્ન હશે કે દરેક વિમાનમાં મુસાફરોને આગળના ભાગથી જ કેમ ચઢાવવામાં અને ઉતારવામાં આવે છે. પાછળની બાજુથી મુસાફરોને કેમ ન ઉતારી શકાયય. ખરેખર, આની પાછળ પણ વિજ્ઞાન છે. કેટલાક મોડેલિંગ અનુસાર, બેક-ટુ-ફ્રન્ટ બોર્ડિંગ એ વધુ સમસ્યા ઉભી કરનારી સિસ્ટમ છે, જેનો અર્થ એ છે કે એક જ વિભાગમાં બેઠેલા મુસાફરો એકસાથે બોર્ડિંગ કરશે. જ્યારે, ઓવરહેડ બિન પાસે મર્યાદિત જગ્યા હોય છે અને આમ કરવાથી બધા લોકો એક જગ્યાએ ભેગા થશે. જેથી લોકો વચ્ચે ઝપાઝપી પણ થઈ શકે છે. વાસ્તવમાં, સામાન્ય રીતે, જો કોઈ મુસાફરને તેના સામાન માટે તેના ઓવરહેડ બિનમાં જગ્યા ન મળે, તો તે પાછળની તરફ જાય છે. પરંતુ, જો પાછળથી બોર્ડિંગ કરવામાં આવશે તો મુસાફરો સામાન રાખવા માટે પાછા જઈ શકશે નહીં અને તેના કારણે દરેકને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news