હવે મહિનાઓથી સુધી ખરાબ નહી થાય બાજરી લોટ, બસ કરવું પડશે આટલું કામ

Bajre ki roti with butter: કૃષિ વૈજ્ઞાનિકોને સંશોધનમાં મળ્યું છે કે, ગરમીમાં બાજરાના લોટમાં ખટાશ આવી જાય છે. કેમ કે, તેમાં બે એન્જાયમ નીકળે છે. જેના કારણે લોટ ખાટો થવા લાગે છે.

હવે મહિનાઓથી સુધી ખરાબ નહી થાય બાજરી લોટ, બસ કરવું પડશે આટલું કામ

Bajre ki roti: ગરમીઓમાં બાજરાના લોટને ત્રણ-ચાર દિવસથી વધુ ઉપયોગ કરવામાં ખટાશ આવી જાય છે. પરંતુ કૃષિ વૈજ્ઞાનિકોને એક ઉપાય શોધી કાઢ્યો... જેનો ઉપયોગ કરવાથી બાજરાનો લોટ 80થી 90 દિવસ સુધી ખટાશ વગર રહી શકે છે. 

કૃષિ વૈજ્ઞાનિકોને સંશોધનમાં મળ્યું છે કે, ગરમીમાં બાજરાના લોટમાં ખટાશ આવી જાય છે. કેમ કે, તેમાં બે એન્જાયમ નીકળે છે. જેના કારણે લોટ ખાટો થવા લાગે છે. એન્જાયમની અસરને ખતમ કરવા માટે પાણીને 98 ડિગ્રી પર ગરમ કર્યા બાદ તેમાં દોઢથી બે મિનિટ સુધી બાજરાને નાખો. પછી બાજરાના કાઢીને છાંયડામાં સુખવી દેવામાં આવે છે. તે પછી તેને પીસી લેવામાં આવે તો બાજરામાં ખટાશ નથી આવતી.

નવી દિલ્લી સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થા પુસાએ બિકાનેરની હોમ સાયન્સ કોલેજના આ સંશોધનને પ્રમાણિત કર્યું છે. આ સંશોધન વર્ષ 2017-18માં પૂસાને સબમિટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ PUSAએ તેને પ્રમાણિત કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કર્યું છે. દેશમાં ઝડપથી ઘટી રહેલા ભૂગર્ભ જળને જોતાં બરછટ અનાજની ખેતી કરવાથી પાણીની બચત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news