Lifestyle: કલાકો સુધી કાનમાં ઈઅરફોન ભરાવી રાખવાની આદત છે? તો આ બીમારીઓનો બની શકો છો ભોગ

USES OF EARPHONES: જો તમને પણ કલાકો સુધી મોબાઈલમાં ઈઅરફોન કે હેડફોન ભરાવીને ગીતો સાંભળવાનો અને વાતો કરવાની આદત હોય તો ચેતી જજો, આ આદતથી તમે ગંભીર બિમારીનો ભોગ બની શકો છો. ઓફિસમાં કામ કરતા કરતા ગીતો સાંભળવાની વાત હોય કે પછી વોકિંગ કરતા કરતા કાનમાં ઈઅરફોન ભરાવીને વાત કરવાની વાત હોય. કોઈ પણ વસ્તુ કે આદતમાં 'અતિ' આવી જાય તો તે નુકસાનકારક છે.

Lifestyle: કલાકો સુધી કાનમાં ઈઅરફોન ભરાવી રાખવાની આદત છે? તો આ બીમારીઓનો બની શકો છો ભોગ

નવી દિલ્લીઃ જો તમને પણ કલાકો સુધી મોબાઈલમાં ઈઅરફોન કે હેડફોન ભરાવીને ગીતો સાંભળવાનો અને વાતો કરવાની આદત હોય તો ચેતી જજો, આ આદતથી તમે ગંભીર બિમારીનો ભોગ બની શકો છો. ઓફિસમાં કામ કરતા ગીતો સાંભળવાની વાત હોય કે પછી વોકિંગ કરતા કરતા કાનમાં ઈઅરફોન ભરાવીને વાત કરવાની વાત હોય. કોઈ પણ વસ્તુ કે આદતમાં 'અતિ' આવી જાય તો તે નુકસાનકારક છે. તમારા મિત્ર બનેલા ઈઅરફોન ક્યારે તમારા દુશ્મન બની જશે તેનો તમને અંદાજો પણ નહીં રહે. જાણીએ ઈઅરફોન કઈ કઈ રીતે શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

No description available.

કાનમાં બહેરાશ
એક રિસર્ચ અનુસાર જો કોઈ વ્યક્તિ બે કલાક કરતા પણ વધુ સમય સુધી 90 ડેસિબલની માત્રાથી વધુ અવાજમાં ગીત સાંભળે તો તે બહેરાપણાનો શિકાર બની શકે છે. મનુષ્યની કાનોની સાંભળવાની ક્ષમતા 90 ડેસિબલ હોય છે. સતત કલાકો સુધી ગીતો સાંભળવાની આદતના કારણે કાનની સાંભળવાની ક્ષમતા ઘટીને 40 થી 50 ડેસિબલ થઈ જાય છે.આવી સ્થિતિમાં વ્યક્તિ દૂરનો અવાજ સાંભળી શકતો નથી.

હ્રદયની બિમારી
નિષ્ણાતોના અભ્યાસ મુજબ ઈઅરફોનના વધારે પડતા ઉપયોગથી ન માત્ર બહેરાશ પરંતું હ્રદયને પણ નુકસાન પહોંચે છે.  વધારે અવાજે ગીતો સાંભળીએ કે વાતો કરીએ તો હ્રદયના ધબકારા વધી જાય છે. હ્રદય સામાન્ય કરતા વધારે ઝડપથી ધબકારા કરે છે. આ કારણથી હ્રદયની બિમારી થાય છે.

માથાનો દુ:ખાવો
ઈઅરફોનમાંથી નીકળતી વિદ્યુત ચુંબકીય તરંગોની અસર વ્યક્તિના મગજ પર થાય છે. સતત ઈઅરફોન ભરાઈને વાતો કરવી કે ગીતો સાંભળવાની આદતના કારણે માથાનો દુ:ખાવો થાય છે કે ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે. ઘણાલોકોને ઈઅરફોન ભરાવીને ફિલ્મો કે સિરીઝો જોવાની આદત છે તેમને પણ અનિંદ્રાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

કાનનું ઈન્ફેકશન
જો તમે ઓફિસમાં કે ઘરમાં તમારા ઈઅરફોન કે હેડફોન કોઈની સાથે શેર કરો છો તો આ આદત તમારી બદલી નાખજો. આ આદતના કારણે કાનનું ઈન્ફેકશન થવાની શક્યતા વધી જાય છે.

લાંબા સમય સુધી ઈઅરફોનનો ઉપયોગ કરવાના કારણે કાનની સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. ન માત્ર કાનની તકલીફ પરંતું માનસિક બિમારીઓનો પણ ભોગ બનવું પડી શકે છે. ડૉકટરોના મતે કાનમાં ટન ટનની અવાજ આવી, ચક્કર આવવા,ઊંઘ ન આવવી, માથા અને કાનમાં દુ:ખાવા સહિતની સમસ્યા થઈ શકે છે.

ઉપાય
કાનથી જોડાયેલી સમસ્યાથી બચવા માગો છો તો ઈઅરફોનનો ખૂબ જરૂર પડે તો જ ઉપયોગ કરે. ગીતો સાંભળો તો અવાજ ધીમો રાખો. સારી ગુણવત્તાના ઈઅરફોન વાપરો તે જ સલાહભર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news