ગુજરાતનું આ મંદિર ભક્તોએ ચઢાવેલા ફૂલોમાંથી કરશે કમાણી, Pics

 મહેસાણાના બહુચરાજી માતાનું મંદિર પ્રસિદ્ધ શક્તિપીઠ કહેવાય છે. આ મંદિરમાં રોજેરોજ સોના-ચાંદીથી લઈને અનેક વસ્તુઓનો ચઢાવો ચઢાવવામાં આવે છે. ચઢાવામાં આવેલી મોંઘીદાટ વસ્તુઓને સાચવીને રાખવામાં આવે છે, આ ઉપરાંત મંદિરમાં રોજ માતાજીને ફુલો પણ ચઢાવાય છે. ત્યારે આ ફૂલને ફેંકી દેવાને બદલે તેનું ઉપયોગી સોલ્યુશન શોધી કઢાયું છે. આ માટે મંદિર દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં મંદિરમાં આવતા ફૂલોમાંથી 10 દિવસની પ્રોસેસ ખાતર બનાવવામાં આવે છે. 

તેજસ દવે/મહેસાણા : મહેસાણાના બહુચરાજી માતાનું મંદિર પ્રસિદ્ધ શક્તિપીઠ કહેવાય છે. આ મંદિરમાં રોજેરોજ સોના-ચાંદીથી લઈને અનેક વસ્તુઓનો ચઢાવો ચઢાવવામાં આવે છે. ચઢાવામાં આવેલી મોંઘીદાટ વસ્તુઓને સાચવીને રાખવામાં આવે છે, આ ઉપરાંત મંદિરમાં રોજ માતાજીને ફુલો પણ ચઢાવાય છે. ત્યારે આ ફૂલને ફેંકી દેવાને બદલે તેનું ઉપયોગી સોલ્યુશન શોધી કઢાયું છે. આ માટે મંદિર દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં મંદિરમાં આવતા ફૂલોમાંથી 10 દિવસની પ્રોસેસ ખાતર બનાવવામાં આવે છે. 
 

1/4
image

મંદિરમાં શ્રદ્ધાના ભાગ સ્વરૂપે ચઢાવવામાં આવતા ફૂલોનો સદઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિરમાં આવતા ફૂલોને મશીનમાં પ્રોસેસ કરીને ખાતર બનાવાયા છે. બાદમાં તેમાં મિનરલ્સ અને વિટામિન, અને સુગંધને ઉમેરીને તે ફૂલોનું ખાતર બનાવવામાં આવશે અને તે ખાતર મંદિર પરિસરના ભેટ કેન્દ્ર પર નજીવી કિંમતે વેચાણ કરવામાં આવશે.

2/4
image

આ વિશે બેચરાજી મંદિરના ક્લાર્ક કિરીટભાઈ જાનીએ કહ્યું કે, જમીન ફળદ્રુપ બને તે માટે સરકાર દ્વારા હવે જૈવિક ખાતર જમીનમાં નાખવાની સલાહ આપવામાં આવે છે. તો બીજી તરફ, ખેડૂતો પણ હવે જૈવિક ખાતરના વપરાશ પર ભાર મૂકી રહ્યા છે. ત્યારે ફૂલોમાંથી બનાવેલું ખાતર ખેતર સુધી પહોંચશે. દરરોજ હજારો કિલો ફૂલો માતા બહુચરાજીના ચરણોમાં અર્પણ થાય છે, તો તે ફૂલોને હવેથી ફેંકી નહિ દેવાય. મંદિર ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી ખાતર રૂપી સોનાને ખેડૂતના ખેતર સુધી પોંહચાડવામાં આવશે. 

3/4
image

અગાઉ મંદિરમાં ચઢાવાતા ફૂલોને પાણીમાં વહાવી દેવામાં આવતા હતા. પરંતુ તેનાથી પાણીનું પ્રદૂષણ વધી જતું હતું. ત્યારે હવે ખાતરનો પ્રયોગ શરૂ કરીને પાણીનો બગાડ પણ અટકાવી શકાય છે.

4/4
image

હવે આ ખાતર ખેતરમાં પાકરૂપી સોનુ પેદા કરશે. ખાતર મંદિરના વેચાણ કેન્દ્ર પર નજીવા ભાવે ખરીદી શકાશે. જેનાથી મંદિરને નવી આવક ઉભી થઈ શકશે. આ મંદિરને ફેંકી દેવાના ફૂલોમાંથી પણ આવક મળી રહેશે.