સુરતના આગકાંડનો ભોગ બનેલા 22 વિદ્યાર્થીઓને રાજ્યમાં ઠેર ઠેર કેન્ડલ માર્ચ કાઢીને અપાઈ શ્રદ્ધાંજલિ

સુરતમાં 24મી મેના રોજ જે આગ લાગવાની ઘટના ઘટી તેણે માત્ર રાજ્યને જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 જેટલા આશાસ્પદ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યાં. કેટલાક હજુ સારવાર હેઠળ છે.

1/6
image

સુરતમાં ગઈ કાલે તક્ષશીલા આર્કેડમાં બનાવ બન્યો જેમાં ભારતનું ભવિષ્યના ઘડતરમાં સહભાગી થનાર વિધાર્થીઓ ભયાનક આગમાં હોમાઈ ગયા હતા તે ઘટનાએ રાજ્ય અને દેશભરમાં કામકમાટી પેદા કરી દીધી હતી.

2/6
image

કોઈકની દીકરી કોઈકનો દીકરો તંત્રની બેદરકારીનો ભોગ બન્યા છે ત્યારે તેમની આત્માને શાંતિ મળે તેને લઈને હિમતનગરના મોતીપુરા વિસ્તારમાં ૧૯૬૨ ધ્વારા શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું.

3/6
image

જેમાં 108,1962,ખીલખીલાટના કર્મચારીઓ ફાયર વિભાગ,પાલિકાના ચીફ ઓફિસર અને તે વિસ્તારના કોર્પોરેટર સાથે દીકરીઓએ મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપી હતી.

4/6
image

પાટણમાં પણ સેવાભાવિ સંસ્થાઓ અને નાગરિકો દ્વારા મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓ ને શ્રદ્ધાંજલિ અપાઈ. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત ભાજપ ના આગેવાનોએ કેન્ડલ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિ. પાટણના બગવાડા દરવાજા ખાતે કાર્યક્રમ હતો. 

5/6
image

અમદાવાદમાં પણ અંકુર ચાર રસ્તા પાસે વિદ્યાર્થીઓના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

6/6
image

સુરતની આ કાળજુ કંપાવી નાખે તેવી ઘટનામાં 22 આશાસ્પદ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યાં.