આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ભૂલો ના કરતા, નહીં તો બંધ થઈ જશે ભાગ્યના દ્વાર, મળશે નિષ્ફળતા

Guru purnima 2024: અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. ગુરુ-શિષ્યના સંબંધનો આ પવિત્ર તહેવાર શિક્ષણ અને કારકિર્દીમાં સફળતા મેળવવા માટે પણ વિશેષ છે.

આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ભૂલો ના કરતા, નહીં તો બંધ થઈ જશે ભાગ્યના દ્વાર, મળશે નિષ્ફળતા

Guru purnima 2024 Puja Vidhi Muhurat: આજે 21 જુલાઈ 2024, રવિવારે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર મહાકાવ્ય મહાભારતના લેખક મહર્ષિ વેદવ્યાસને સમર્પિત છે. આ ઉપરાંત આ દિવસે દેવગુરુ બૃહસ્પતિની પણ પૂજા કરવામાં આવે છે. આમ કરવાથી ગુરુઓની કૃપા પ્રાપ્ત થાય છે, કુંડળીમાં સૌભાગ્ય, સુખ અને જ્ઞાન આપનાર ગુરુ ગ્રહ બળવાન બને છે. કરિયરમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે. પરંતુ આ માટે જરૂરી છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા કરવાની સાથે ગુરુઓના આશીર્વાદ લેવા સાથે કેટલીક ભૂલોથી બચવું જોઈએ. અન્યથા જીવનમાં દુર્ભાગ્ય અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.

ગુરુ પૂર્ણિમાના દિવસે ના કરો આ કામ
- ગુરુનું સ્થાન ભગવાન સમાન છે. એટલા માટે ગુરુની પૂજા કરતી વખતે તેમના આશીર્વાદ લેતી વખતે નમ્રતા રાખો. ભૂલથી પણ દેખાડો કે અહંકાર ન કરો.

- ગુરુની સામે આસન પર ના બેસો, પરંતુ તેમના પગ પાસે બેસો. કારણ કે ગુરુનું અપમાન કરવાથી અશુભ પરિણામ મળે છે. તેમ જ તમારે ક્યારેય ગુરુની સામે પગ રાખીને બેસવું જોઈએ નહીં. ગુરુનું અપમાન થાય એવું કંઈ ન કરવું.

- ગુરુની સામે ખોટી અને અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરો. તેમ જ તમારે ગુરુ વિરુદ્ધ તેમની પીઠ પાછળ પણ કોઈ ખોટો શબ્દ વાપરવો જોઈએ નહીં. ગુરુ પ્રત્યે હંમેશા આદર અને પ્રમાણિકતા રાખો.

ગુરુ પૂર્ણિમા 2024 પૂજાનો શુભ મુહર્ત
21મી જુલાઈએ અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. આજે દિવસભર ગુરૂઓની પૂજા કરવામાં આવશે અને તેમના આશીર્વાદ લેવામાં આવશે. આજે 21 જુલાઈ 2024 ને રવિવારના રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ઉત્તરાષાદ નક્ષત્ર, વિષ્કુંભ અને પ્રીતિ યોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગનો દુર્લભ સંયોજન રચાયો છે.

ગુરુ પૂર્ણિમા પૂજા વિધિ
ગુરુ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીના પાણીથી સ્નાન કરો. પછી સૂર્યને પ્રાર્થના કરો. ગુરુ વેદવ્યાસની પૂજા કરો. પછી તમારા ગુરુની પૂજા કરો. ગુરુને ઉચ્ચ આસન પર બેસાડીને તેમના પગ ધોવા. ચરણોમાં પીળા અને સફેદ ફૂલ ચઢાવો. તેમનું તિલક કરો. આરતી કરો. તેમને ક્ષમતા અનુસાર સફેદ કે પીળા કપડાં, પૈસા વગેરે ભેટ આપો. સફેદ મીઠાઈ ખવડાવો. તેમની પાસેથી આશીર્વાદ લો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news