Omen and bad omen: દુર્ભાગ્યથી બચવા અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા હંમેશા યાદ રાખો શકુન અને અપશકુન

Bad Omen indication: પહેલાના સમયના લોકોની માન્યતા મુજબ ઘણાં એવા કામ છે જેને કરવાથી બગડ઼ેલા કામો પણ પૂરા થઈ જાય છે. આવા કામોને શુકન કહેવામાં આવે છે જ્યારે કેટલાક એવા કામો પણ છે જેને આપણે ભૂલથી પણ ના કરવા જોઈએ. આવા કામો કરવાથી આપણા બનેલા કામ પણ બગડી જાય છે.

Omen and bad omen: દુર્ભાગ્યથી બચવા અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા હંમેશા યાદ રાખો શકુન અને અપશકુન

indication of shakun: પહેલાંના સમયના વૃદ્ધો પાસેથી ઘણી એવી વાતો સાંભળવા મળે છે જે માનવી અત્યારની પેઢી માટે થોડી અઘરી છે. પહેલાના સમયના લોકોની માન્યતા મુજબ ઘણાં એવા કામ છે જેને કરવાથી બગડ઼ેલા કામો પણ પૂરા થઈ જાય છે. આવા કામોને શુકન કહેવામાં આવે છે જ્યારે કેટલાક એવા કામો પણ છે જેને આપણે ભૂલથી પણ ના કરવા જોઈએ. આવા કામો કરવાથી આપણા બનેલા કામ પણ બગડી જાય છે.

લોખંડ સાથે જોડાયેલું અપશુકન
એક જૂની માન્યતા છે કે જે ઘરોમાં નાના બાળકો હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા જલદી પોતાનું વર્ચસ્વ જમાવે છે. તેવામાં તેમની પથારીની પાસે લોખંડથી બનેલી વસ્તુઓ રાખી જોઈએ જેથી નકારાત્મકતા તેમની આસપાસ પણ ભટકે નહી. ત્યાં જ કાટ લાગેલી લોખંડની વસ્તુઓ ઘરમાં રાખવી અપશુકન (Bad Omen) માનવામાં આવે છે.

નળમાંથી પાણીનું ટપકવું
એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં નળનું પાણી સતત ટપકતું રહે છે ત્યાં ધનને નુકસાન થાય છે. એટલે કે આર્થિક સમૃદ્ધિ પર અસર પહોંચે છે. આ સિવાય સવારે સવારે બાથરૂમમાં ખાલી ડોલ જોઈ લો તો એ પણ અપશુકન માનવામાં આવે છે. ખાલી ડોલ જોવાથી માનસિક અને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવામાં હંમેશા બાથરૂમમાં ડોલ ભરીને રાખવી જોઈએ.

સાંજે સાવરણીનો ઉપયોગ ન કરો
સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. સાવરણી પર પગ મૂકવો અને સાંજના સમયે સાવરણીથી કચરો વાળતી ઘણું જ અશુભ (Bad Omen) માનવામાં આવે છે. સાવરણીને કોઈ પણ ખાલી જગ્યા પર રાખવાની જગ્યાએ હંમેશા કોઈ ખૂણામાં સંતાડીને જ રાખવી જોઈએ. જેનાથી એના પર ભૂલથી પણ પગ ના પડી જાય.

ઘરમાં તૂટેલો કાચ ના રાખો
વાસ્ત્રુશાસ્ત્રમાં અરિસો અથવા કાચની કોઈ તૂટેલી વસ્તુ રાખવી ખૂબ જ મોટુ અપશુકન(Bad Omen) માનવામાં આવે છે. તૂટેલા અરિસામાં જોઈને ક્યારેય પણ તૈયાર થવું ન જોઈએ. આ સિવાય એક વર્ષથી નાના બાળકને પણ અરિસામાં તેનો ચહેરો બતાડવો અપશુકન માનવામાં આવે છે. ઘરના ખૂણામાં કાંચના તૂટેલા ટુકડાને રાખવો પણ અશુભ માનવામાં આવે છે.

બિલાડી અથવા કૂતરાનું રડવું સારું નહીં
ઘરમાં કૂતરા અથવા તો બિલાડીઓના રડવા પર અથવા બંનેના ઝઘડવાને બિલકુલ શુભ (Bad Omen)  માનવામાં નથી આવતું. જો ઘરની આસપાસ કૂતરા અથવા બિલાડી રડતી દેખાય તો તેને અપ્રિય ઘટના બનવાના સંકેત માનવામાં આવે છે. બિલાડી તમારો રસ્તો કાપીને જાય તો તે પણ અપશુકન ગણાવામાં આવતું હોય છે.

પ્રવાસનનો ગઢ : એક બે નહીં ગુજરાતના આ જિલ્લોમાં ફરવાલાયક છે 10 પોપ્યુલર સ્થળો
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news