500 વર્ષ બાદ બન્યો છે અદભૂત, દુર્લભ રાજયોગ! આ 3 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, જબરદસ્ત ધનલાભ થશે

વેદિક જ્યોતિષ મુજબ ગુરુ અને બુધે નવપંચમ રાજયોગ બનાવ્યો છે. જેનાથી 3 રાશવાળાને આકસ્મિક ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો તે લકી રાશિઓ વિશે....

500 વર્ષ બાદ બન્યો છે અદભૂત, દુર્લભ રાજયોગ! આ 3 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, જબરદસ્ત ધનલાભ થશે

વૈદિક જ્યોતિષ  મુજબ ગુરુ ગ્રહ એક નિશ્ચિત સમયગાળા પર ગોચર કરીને નવપંચમ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવે છે જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે ગ્રહોના રાજકુમાર બુધ અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ નવપંચમ રાજયોગનું નિર્માણ કર્યું છે અને આ રાજયોગ કેન્દ્ર સ્થાનના સ્વામી બનાવી રહ્યા છે. આથી આ રાજયોગ લગભગ 500 વર્ષ બાદ બની રહ્યો છે. આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિઓના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે કે જેનું આ સમય દરમિાયન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ લોકોને અપાર ધનલાભ થઈ શકે છે. આ લકી રાશિઓ વિશે ખાસ જાણો....

મિથુન રાશિ
નવપંચમ રાજયોગ તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિના માન સન્માન, જમીન, સંપત્તિના સ્વામી બુધ ગ્રહ સપ્તમ ભાવ કેન્દ્રમાં બિરાજમાન છે અને કરિયર તથા મેરેજના સ્વામી લાભ સ્થાન પર સ્થિત છે. આ સાથે જ બુધ અને ગુરુ એક બીજાથી નવપંચમ પણ થઈ ગયા છે. આથી આ સમય દરમિયાન તમને માન સન્માનની પ્રાપ્તિ થશે. આ સાથે જ તમને કામકાજમાં પ્રગતિ થશે. પરિણીત લોકોનું જીવન શાનદાર રહેશે. સંતાન સંબંધિત કષ્ટોમાંથી મુક્તિ મળશે. ભાગ્યનો સાથ મળશે. 

કન્યા રાશિ
નવપંચમ રાજયોગ બનવાથી કન્યા રાશિના જાતકોને સારો એવો ફાયદો થઈ શકે છે. કારણ કે તમારી રાશિના સ્વામી  બુધ અને માન, સન્માન તથા આકસ્મિક ધનલાભ, વૈવાહિક જીવનના સ્વામી પણ ગુરુ છે. આ સાથે જ પ્રોપર્ટી માન સન્માન, સુખ સંપત્તિ અને કરિયરના સ્વામી બુધ છે. આથી આ સમયે કાર્યોમાં સિદ્ધિ મળશે. જ્યારે નોકરિયાતોને કરિયરમાં સફળતા મળશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. માતા સાથેના સંબંધ મજબૂત થશે. જો તમે કોઈ વેપાર કરતા હોવ તો વ્યવસાયમાં લાભના યોગ બનશે અને સંપત્તિ ખરીદીની દિશામાં સારી સફળતા મળશે. 

ધનુ રાશિ
તમારા માટે નવપંચમ રાજયોગ ખુબ શુભદાયી સિદ્ધ થઈ શકે છે. કારણકે તમારી  કુંડળીમાં બુધ અને ગુરુ નવપંચમ રાજયોગ બનાવી રહ્યા છે. આથી આ સમય દરમિાયન તમને વાહન અને પ્રોપર્ટી ખરીદી શકો છો. આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય શાનદાર રહેશે. કોઈ પરીક્ષામાં પાસ થઈ શકો છો. પરિણીતો માટે જીવન ખુશનુમા રહેશે. જે લોકો રોજગારની શોધ કરી રહ્યા છે તેમને ગ્રહોના શુભ પ્રભાવથી સારી ઓફર મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news