Lucky Signs On Plam: જો પુરુષોના હાથમાં હશે આ રેખા તો ક્યારેય નહીં થાય ધન દોલતની કમી!

Lucky Signs On Plam: રેખાઓની સાથે સાથે હથેળી પર પણ કેટલાક એવા ચિન્હો હોય છે, જે વ્યક્તિની આર્થિક સ્થિતિ અને ભવિષ્ય વિશે જણાવે છે. વ્યક્તિના હાથમાં હાજર આ પ્રતીકો સૂચવે છે કે તે ભાગ્યશાળી છે.

Lucky Signs On Plam: જો પુરુષોના હાથમાં હશે આ રેખા તો ક્યારેય નહીં થાય ધન દોલતની કમી!

Lucky Signs On Plam:  હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથ પરની રેખાઓ જોઈને લોકોના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ અને આર્થિક સ્થિતિ વગેરે વિશે ઘણું બધું જાણી શકાય છે. હથેળી પરની રેખાઓની સાથે-સાથે કેટલાક એવા સંકેત પણ હોય છે જે વ્યક્તિના ભાગ્યશાળી હોવા તરફ ઈશારો કરે છે. આવો જાણીએ આ પ્રતીકો વિશે.

ત્રિશૂળ
હથેળીમાં ત્રિશુલનું પ્રતીક હોવું ખૂબ જ શુભ છે. જેની હથેળી પર આ નિશાન હોય છે, તે પુરુષોના જીવનમાં શુભ ફળ મળે છે. જણાવી દઈએ કે જો આ નિશાન મંગળ પર્વત પર હોય તો વ્યક્તિને ધન અને પ્રતિષ્ઠા મળે છે.

સ્વસ્તિક
શાસ્ત્રોમાં સ્વસ્તિકને શુભ પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યું છે. હસ્તરેખાશાસ્ત્રમાં પણ તેને શુભ માનવામાં આવે છે. જે પણ વ્યક્તિની હથેળી પર સ્વસ્તિક ચિન્હ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા લોકો ધનવાન બને છે અને દુનિયામાં ઘણું માન-સન્માન મેળવે છે.

કમળ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કમળનું પ્રતીક પણ સ્વસ્તિકની જેમ જ શુભ માનવામાં આવે છે. હથેળી પર આ નિશાન હોવું વિષ્ણુ યોગ કહેવાય છે. જેની હથેળી પર આ નિશાન હોય તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ તેમના પર રહે છે. આવા લોકો નેતૃત્વ કરવામાં માહિર હોય છે. એટલું જ નહીં તેઓ આર્થિક રીતે પણ ખૂબ સક્ષમ હોય છે.

ધ્વજ
જો કોઈ વ્યક્તિની હથેળી પર ધ્વજનું નિશાન હોય તો તે જીવનમાં ઉચ્ચ પદ પર પહોંચે છે. આવા લોકોને સમાજમાં સન્માન મળે છે. જો આ પ્રતીક ભાગ્ય રેખાની નજીક હોય તો તેની અસર વધુ વધે છે.

માછલી
જો હથેળી પર મથલીનું ચિહ્ન હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેટલાક લોકોની હથેળી પર કેતુ અથવા ચંદ્ર પર્વત ઉપર માછલીનું નિશાન હોય છે. બીજી તરફ જો આ નિશાન કાંડા પર હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી છે.

વૃક્ષ
જો કોઈ વ્યક્તિની હથેળીમાં વૃક્ષનું પ્રતીક બનેલું હોય તો તે શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે પર્વત કે રેખા પર આ નિશાની હોય છે તે તેની અસરને વધારે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત, ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો
પિતાવિહોણી દીકરીઓ માટે ગુજરાતના અહીં બનશે કન્યા ગુરુકુળ, ભણવાથી લઈ બધો ખર્ચ ઉપાડશે
રાશિફળ 23 એપ્રિલ: આ જાતકોને આજે થોડું જોખમ ફાયદો કરાવશે, જાણો કોણે રહેવું પડશે સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news