1 વર્ષ બાદ જાન્યુઆરીમાં સૂર્ય કરશે મકર રાશિમાં પ્રવેશ, આ 3 જાતકોને થશે ધનલાભ, પદ-પ્રતિષ્ઠા વધશે

Sun Transit in Makar 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. સૂર્યનું આ ગોચર ત્રણ રાશિના જાતકો માટે ફળદાયી સાબિત થઈ શકે છે. 

1 વર્ષ બાદ જાન્યુઆરીમાં સૂર્ય કરશે મકર રાશિમાં પ્રવેશ, આ 3 જાતકોને થશે ધનલાભ, પદ-પ્રતિષ્ઠા વધશે

નવી દિલ્હીઃ Surya Gochar in Capricorn 2024: વૈદિક જ્યોતિષમાં સૂર્ય દેવની ગ્રહોના રાજા માનવામાં આવ્યા છે. સાથે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં 1 મહિના બાદ રાશિ પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2024માં સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરવાના છે. જેનો પ્રભાવ દરેક જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિ એવી છે, જેના અચ્છે દિન સૂર્યના ગોચર સાથે શરૂ થઈ જશે. આ ત્રણ જાતકોની ધન સંપત્તિ વધી શકે છે. આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે.

ધન રાશિ
ધન રાશિના જાતકો માટે સૂર્ય દેવનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી ધન અને વાણી ભાવ પર થવા જઈ રહ્યું છે. તેથી તમને આ સમયે અચાનક ધનલાભ થઈ શકે છે. પરિવાર સાથે સંબંધો મધુર રહેશે અને તમને કોઈ ખુશીના સમાચાર મળી શકે છે. તો આ સમયમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. સાથે વાણીમાં પ્રભાવ વધશે, જેનાથી લોકો ઇમ્પ્રેસ થશે. તો સૂર્ય દેવ તમારી રાશિના નવમ ભાવના સ્વામી છે. તમને આ સમયે ભાગ્યનો સાથ મળશે. સાથે ધર્મ કર્મના કામમાં તમારી રૂચિ વધશે. 

મીન રાશિ
સૂર્ય દેવનું રાશિ પરિવર્તન તમારા લોકો માટે શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિના આવક ભાવ પર થવા જઈ રહ્યું છે. તેથી તમારી આવકમાં વધારો થઈ શકે છે. સાથે આવકના નવા રસ્તા ખુલી શકે છે. તમને આ દરમિયાન જૂના રોકાણથી લાભ મળશે. સાથે વેપારી વર્ગ માટે નવી ડીલ ફાઇનલ થઈ શકે છે, જે શુભ સાબિત થશે. આ દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આ સમયમાં તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. સૂર્ય દેવ તમારી રાશિના છઠ્ઠા ભાવના સ્વામી છે. તેથી તમને આ સમયમાં કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. 

કર્ક રાશિ
તમારા માટે સૂર્ય દેવનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાશિ પરિવર્તન તમારા લોકોની ગોચર કુંડળીના સપ્તમ ભાવમાં  થવાનું છે. તેથી આ સમય તમારા લગ્ન જીવન માટે શાનદાર હેશે. આ સમયમાં તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમે જે રોકાણ કરશો તેમાં તમને લાભ થશે. તો તમે ભાગીદારીનું કામ કરશો તો તેમાં પણ ફાયદો થશે. આ સાથે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. સૂર્ય દેવ તમારી રાશિના બીજા ભાવના સ્વામી છે. તેથી આ સમયે તમને સમય-સમય પર અકાનક ધનલાભ થશે. સાથે તમારા અટવાયેલા પૈસા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news