Neechbhang Rajyog 2023: સૂર્ય ગોચરથી બનશે નીચભંગ રાજયોગ, 4 દિવસ બાદ આ 3 રાશિવાળા ધનમાં આળોટશે

ગ્રહો સમયાંતરે એકથી બીજી રાશિ અને નક્ષત્રોમાં પ્રવેશ કરે છે. તેમના ગોચરથી લઈને ચાલ સુધીની અસર તમામ 12 રાશિઓના જાતકો પર પડે છે. ગ્રહોના પરિવર્તન અને ચાલથી અનેક યોગ બને છે. તેમના પ્રભાવથી લોકોના કામ બને છે અને બગડે પણ છે. એ જ રીતે 4 દિવસ બાદ સૂર્યદેવ તુલા રાશિમાં ગોચ કરશે.

Neechbhang Rajyog 2023: સૂર્ય ગોચરથી બનશે નીચભંગ રાજયોગ, 4 દિવસ બાદ આ 3 રાશિવાળા ધનમાં આળોટશે

ગ્રહો સમયાંતરે એકથી બીજી રાશિ અને નક્ષત્રોમાં પ્રવેશ કરે છે. તેમના ગોચરથી લઈને ચાલ સુધીની અસર તમામ 12 રાશિઓના જાતકો પર પડે છે. ગ્રહોના પરિવર્તન અને ચાલથી અનેક યોગ બને છે. તેમના પ્રભાવથી લોકોના કામ બને છે અને બગડે પણ છે. એ જ રીતે 4 દિવસ બાદ સૂર્યદેવ તુલા રાશિમાં ગોચ કરશે. તેમના આ ગોચરથી નીચભંગ રાજયોગ બની રહ્યો છે. સૂર્યના આ ગોચરની તમામ 12 રાશિઓ પર અસર જોવા મળશે. જો કે તે કેટલાક માટે શુભ તો કેટલાક માટે અશુભ સાબિત થશે. આવામાં જાણો એવી કઈ 3 રાશિઓ છે જેને ચાંદી ચાંદી થવાની છે. આ રાશિઓ પર સૂર્યના ગોચરનો શુભ પ્રભાવ પડશે. આ દરમિયાન ધનની પ્રાપ્તિથી લઈને અટકેલા કામોમાં સફળતા મળશે. સૂર્યની જેમ જ ભાગ્ય ચમકી જશે. 

કન્યા રાશિ
સૂર્યના તુલા રાશિમાં ગોચરની કન્યા રાશિ પર શુભ અસર પડશે. આવામાં સ્પષ્ટ છે કે આ રાશિવાળાનું  ભાગ્ય પલટાઈ જશે. તેમને અપ્રત્યાશિત ધનલાભ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે. આ સાથે જ ઘણા સમયથી થઈ રહેલી અડચણો દૂર થશે. ઘરથી લઈને સમાજમાં માન સન્માન વધશે. આ દરમિયાન ક્યાંક ફસાયેલું ધન પાછું મળે તેવા પૂરેપૂરાં સંયોગ છે. 

ધનુ રાશિ
આ રાશિના જાતકો માટે નીચભંગ રાજયોગ શુભ બની શકે છે. આવકના નવા સ્ત્રોત સર્જાશે. ઘરમાં ધનની આક સાથે બરકત પણ વધશે. વેપાર કરી રહેલા લોકોને મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. જેમાં સારો નફો થઈ શકે છે. લાંબી મુસાફરી પર જઈ શકો છો. જેનો લાભ મળવો નક્કી છે. આ રાશિના જે લોકો કરિયર બનાવવામાં લાગ્યા છે તેમને સફળતા મળશે. તમને ઓછી મહેનતમાં વધુ ફળ મળશે. પરિણીત લોકોના જીવન સુખ અને શાંતિથી પસાર થશે. 

મકર રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન 4 દિવસ બાદ 18 ઓક્ટોબરે થશે. સૂર્ય તુલા રાશિમાં ગોચર કરશે. તેનાથી નીચભંગ રાજયોગ સર્જાશે. જે મકર રાશિવાળા માટે કોઈ વરદાનથી ઓછું નહીં હોય. આ દરમિયાન મકર રાશિવાળાને નોકરીમાં પ્રગતિ મળી શકે છે. તે ઉપરાંત બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળશે. આ દરમિયાન આત્મવિશ્વાસના દમ પર કોઈની પણ પાસે પોતાનો કક્કો ખરો કરાવી શકો છો. તમારી મહેનત રંગ લાવશે. જે બાળકો વિદેશ જવાના પ્રયત્ન કરી રહ્યા છે તેઓ સફળ થઈ શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news