Unlucky Zodiac Signs: આ 5 રાશિના જાતકો પ્રેમના મામલામાં હોય છે અનલકી

રાશિઓ પ્રમાણે વાત કરીએ તો કેટલાક જાતક તેમાં ભાગ્યશાળી છે તો કેટલાક અનલકી. આવો જાણીએ એવા પાંચ અનલકી જાતકો વિશે જેનું નસીબ પ્રેમના મામલામાં નબળુ હોય છે. 
 

Unlucky Zodiac Signs: આ 5 રાશિના જાતકો પ્રેમના મામલામાં હોય છે અનલકી

Unlucky Zodiac Signs: જીવનમાં દરેક વ્યક્તિ પ્રેમની શોધમાં રહે છે. પરંતુ તેવું જરૂરી નથી કે બધાને તેનો મનગમતો પ્રેમ મળે. કેટલાક લોકો ભાગ્યશાળી હોય છે કે તેને તેનો ભાગ્યશાળી પ્રેમ મળી જાય છે, તો કેટલાક લોકો આ મામલામાં અનલક્કી હોય છે. આવો જાણીએ 5 એવા ખરાબ નસીબવાળા જાતકો વિશે જે પ્રેમના મામલામાં અનલકી હોય છે. 

મકર રાશિ
મકર રાશિના જાતકો ખુબ મહત્વકાંક્ષી હોય છે. પરંતુ તેનું આ લક્ષણ તેને ક્યારેક રોમેક્ટિક સંબંધથી દૂર કરી દે છે. પોતાના કરિયરની સફળતા પર આ જાતકોનું ધ્યાન તેના સાથીની ભાવનાત્મક જરૂરીયાતોને પૂરી કરી શકતું નથી, જેના કારણે તેના પ્રેમ જીવનમાં તણાવ આવી શકે છે. 

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો સૌથી વધુ પોતાની ફ્રીડમને મહત્વ આપે છે. આમ કરવાથી તેની લવ લાઇફ પર ખરાબ અસર પડે છે. તમારો સાથે તમારી આ આદતથી દૂર ભાગવા લાગે છે. 

મીન રાશિ
મીન રાશિના જાતકો સંવેદનશીલ અને દયાળુ સ્વભાવ માટે જાણીતા છે. પરંતુ તેનો આ આદર્શવાદી સ્વભાગ તેની લવ લાઇફમાં નિરાશાનું કારણ બની શકે છે. આવા જાતક હંમેશા ખોટા લોકોના ચક્કરમાં પડી જાય છે, જેની સાથે તેનો સંબંધ તૂટી જાય છે. 

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો પોતાના ભાવનાત્મક સ્વભાવને કારણે જાણીતા છે. તેના મૂડમાં અચાનક ફેરફારથી તેની લવ લાઇફ પર ખરાબ અસર પડે છે. આ કારણે તે પ્રેમના મામલામાં અનલક્કી રહે છે. 

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો પ્રખર અને ભાવુક સ્વભાવના હોય છે. તે પોતાના સાથીને પ્કત્યે લોયલ રહે છે. પરંતુ વૃશ્ચિક રાશિની અંદર ડોમિનેટ કરવાનો સ્વભાવ રહે છે, જેના કારણે તેના સંબંધોમાં ખટાસ આવી જાય છે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news