Vastu Tips: ક્યારેય કોઈને ગિફ્ટમાં ન આપવી આ વસ્તુઓ, બાકી જીવનમાં આવે છે મુશ્કેલી

Vastu Tips: કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને તમારે ક્યારેય કોઈને ગિફ્ટમાં આપવી જોઈએ નહીં. આ વસ્તુને ક્યારેય ગિફ્ટમાં લેવી જોઈએ નહીં. 

Vastu Tips: ક્યારેય કોઈને ગિફ્ટમાં ન આપવી આ વસ્તુઓ, બાકી જીવનમાં આવે છે મુશ્કેલી

નવી દિલ્હીઃ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આ બ્રહ્માંડની દરેક એક વસ્તુ, દરેક સેકન્ડ જુદી જુદી શક્તિઓ સાથે સંકળાયેલી છે. આ જ કારણ છે કે, દિવસ દરમિયાન શુભ અને અશુભ સમયની કલ્પના કરવામાં આવી હતી. અલગ-અલગ વસ્તુઓમાં રહેલી ઊર્જાના આધારે અલગ-અલગ રીતે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તમારું ભવિષ્ય અને નસીબ પણ તમે કોઈને શું ભેટ આપો છો તેના પર નિર્ભર કરે છે. જ્યોતિષીના મતે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમારે કોઈને પણ ગિફ્ટ ન કરવી જોઈએ. આ વસ્તુઓને ભેટ તરીકે પણ ન લેવી જોઈએ. જો તમે આ કરો છો, તો તમે તમારી સાથે સાથે અન્ય વ્યક્તિનું નસીબ પણ બગાડો છો. 

ગિફ્ટમાં આ ભૂલથી પણ ના આપો આ વસ્તુઓઃ--
ચપ્પુ, તલવાર અને તીક્ષ્ણ વસ્તુઓઃ

પરંપરાગત જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે, વ્યક્તિએ ક્યારેય અન્યને તીક્ષ્ણ વસ્તુઓ ભેટમાં ન આપવી જોઈએ. આમ કરવાથી ગિફ્ટ મેળવનાર માટે ખરાબ નસીબ આવે છે. જો તમે કોઈને છરી, તલવાર અથવા અન્ય હથિયાર ભેટમાં આપો છો, તો તે લોકો માટે ખરાબ નસીબ લાવે છે. એટલા માટે મિત્રોને ભૂલથી પણ છરી કે તેના જેવી બીજી વસ્તુઓ ગિફ્ટમાં ન આપવી જોઈએ.

ઘડિયાળઃ
હાલમાં ઘણા લોકો એકબીજાને ઘડિયાળો ભેટમાં આપે છે. વાસ્તુ ટિપ્સ અનુસાર ઘડિયાળ ગિફ્ટ કરવી કે લેવી તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. ઘડિયાળને બુધ ગ્રહનો કારક માનવામાં આવે છે. જ્યારે તમે કોઈને ઘડિયાળ આપો છો, ત્યારે તમે તમારા નસીબની સંપત્તિ તેને આપો છો. પરંતુ જ્યારે એ જ ઘડિયાળ બંધ થઈ જાય છે. ત્યારે ભેટ મેળવનાર વ્યક્તિ માટે ખરાબ સમય શરૂ થાય છે. આ જ કારણ છે કે ક્યારેય કોઈને ઘડિયાળ ગિફ્ટ ન કરવી જોઈએ.

માછલીઘરઃ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાણી પણ ભેટમાં ન આપવું જોઈએ. આવું કરવાથી તમે તમારી સમૃદ્ધિ અને લક્ષ્મી હંમેશા માટે ગુમાવી શકો છો. માછલીઘર એ એક પ્રકારનું પાણી છે. જે ક્યારેય ભેટમાં ન આપવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર માછલીઘરને ભેટ આપવાની મનાઈ કરે છે. જો કોઈ અન્ય તમને તે ભેટ આપે છે, તો તે તમારા માટે સારા નસીબ લાવશે.

પાન
તંત્ર-મંત્રમાં સોપારીનું વિશેષ મહત્વ છે. અન્ય લોકો પર વશિકરણ અથવા અન્ય તંત્રનો ઉપયોગ કરવા માટે સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણોસર, ભેટ તરીકે પાન આપવાની મનાઈ છે. જો તમે કોઈને ગિફ્ટમાં પાન આપો છો, તો તમે ચોક્કસપણે તે વ્યક્તિનું તેમજ તમારું પણ ભાગ્ય બગાડો છો. જો તમે ઇચ્છો તો, તમે તમારા હાથથી બીજાને પાન ખવડાવી શકો છો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ પર અને માત્ર માહિતી માટે જ આપવામાં આવી રહી છે. ઝી 24 કલાક આની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપાય લેતા પહેલા, સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news