રણજી ટ્રોફીમાં અજિંક્ય રહાણેએ ધૂમ મચાવી, બોલરોની ધોલાઈ કરતાં બનાવી દીધા અધધ 634 રન

Ajinkya Rahane: આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં પરત ફરે તેવી આશા રાખવામાં આવી રહી હતી. પરંતુ તેવું થઈ શક્યું નહીં. 

રણજી ટ્રોફીમાં અજિંક્ય રહાણેએ ધૂમ મચાવી, બોલરોની ધોલાઈ કરતાં બનાવી દીધા અધધ 634 રન

નવી દિલ્લી:  ભારતનો સ્ટાર ક્રિકેટર અજિંક્ય રહાણે રણજી ટ્રોફીમાં પોતાના શાનદાર પ્રદર્શન સાથે ટીમ ઈન્ડિયામાં વાપસીનો દાવો કરી રહ્યો છે. ખરાબ ફોર્મ સાથે સતત સંઘર્ષ કરવાને કારણે રહાણેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જો કે તે આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાંથી ટીમમાં પાછો ફરશે તેવી અપેક્ષા હતી. પરંતુ આ થઈ શક્યું નહીં. તેની વચ્ચે હવે રહાણેએ રણજી ટ્રોફીમાં પોતાના બેટથી જોરદાર પ્રદર્શન કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપી દીધો છે.  તેણે સાબિત કરી દીધું છે કે  તે હજુ પણ ટીમ ઈન્ડિયામાં રમવા માટે લાયક છે.

અજિંક્ય રહાણેએ બેટમાંથી 634 રન નીકળ્યા:
અજિંક્ય રહાણેએ રણજી ટ્રોફીમાં મુંબઈની કેપ્ટનશીપ સાથે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી રમાયેલી તમામ મેચમાં શાનદાર બેટિંગ કરી છે. રણજી ટ્રોફીની આ સિઝનમાં રહાણેની સૌથી મોટી ઇનિંગ હૈદરાબાદ સામે આવી છે. તેણે હૈદરાબાદની ટીમ સામે 204 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

રણજી મેચમાં રહાણેનું પ્રદર્શન:
રણજી ટ્રોફીમાં રહાણેના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 6 મેચની 11 ઇનિંગ્સમાં શાનદાર એવરેજથી બેટિંગ કરીને 634 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી એક બેવડી સદી અને એક સદી પણ આવી છે. તેની બેવડી સદી બાદ આ સિઝનમાં રણજીમાં તેનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર આસામ સામે 191 રન છે.

IPL પહેલા પોતાની લય જાળવી રાખવા માંગે છે રહાણે:
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. આ સિરીઝમાં જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થઈ જાય છે અથવા કોઈ કારણસર સિરીઝ ચૂકી જાય છે તો અજિંક્ય રહાણે માટે ટીમ ઈન્ડિયાના દરવાજા ફરી ખૂલી શકે છે. પરંતુ અત્યારે આવા કંઈ અણસાર દેખાતા નથી. પરંતુ રણજી ટ્રોફીમાં રહાણેનું પ્રદર્શન આગામી IPL માટે ફાયદાકારક બની શકે છે. 

ચેન્નઈ સુપર કિંગ્સમાંથી રમશે રહાણે:
IPL 2023ની મિની હરાજીમાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા 50 લાખ રૂપિયાની મૂળ કિંમતમાં ખરીદવામાં આવ્યો છે. ધોનીની ટીમમાં જોડાયા બાદ તે ઘણો ખુશ હતો. આ જ કારણ છે કે તે IPL 2023 પહેલા રણજીમાં પોતાના બેટથી તબાહી મચાવી રહ્યો છે. રહાણે નથી ઈચ્છતો કે તેની આઈપીએલ સિઝન બગડે. આવી સ્થિતિમાં અજિંક્ય રહાણે IPL પહેલા પોતાની લય જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news