ચિદમ્બરમ News

સોનિયા ગાંધી અને મનમોહનસિંહે તિહાડ જેલમાં કરી ચિદમ્બરમ સાથે મુલાકાત
આઈએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમને મળવા માટે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહ તિહાડ જેલ પહોંચ્યા. મુલાકાત માટેનો સમય સવારે 9થી 10 વાગ્યા વચ્ચેનો નક્કી હતો. તેમણે લગભગ 30 મિનિટ સુધી તિહાડ જેલમાં ચિદમ્બરમ સાથે મુલાકાત કરી. સોનિયા ગાંધી અને મનમોહન સિંહ તિહાડ જેલમાં તેમને મળવા માટે પહોંચ્યા ત્યારે પી ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ પણ તિહાડ જેલ પહોંચ્યા હતાં. ચિદમ્બરમ પર આરોપ છે કે તેમણે નાણા મંત્રીના પદ પર હતાં ત્યારે 2007માં લાંચ લઈને આઈએનએક્સ મીડિયાને 305 કરોડ રૂપિયા લઈને વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડથી મંજૂરી અપાવી હતી. આ મામલે ચિદમ્બરમ સીબીઆઈ અને ઈડીની તપાસ હેઠળ છે.
Sep 23,2019, 11:55 AM IST

Trending news