પિતાની આત્મહત્યા News

ભાવનગરમાં પિતાએ બાળકોને ફાંસો આપ્યા બાદ આપઘાત કરતા ચકચાર
 નવાગામ વરતેજ ખાતે સામૂહિક આપઘાતની ઘટના બનવા પામી છે. જેમાં લાલભાઇ નરેશભાઇ ચૌહાણ નામના પિતાએ 4 વર્ષનો પુત્ર માનવ અને 5 વર્ષની પુત્રી પ્રતિજ્ઞા સાથે દોરડા વડે લટકી જઇ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતની ઘટનાને પગલે વરતેજ પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો. ઘટના સ્થળે પહોંચીને તમામ મૃતદેહોને  પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવની મળતી માહિતી અનુસાર લાલભાઇ ચૌહાણની પત્ની ઘરકંકાસને લઇ રિસામણે ગઇ હોવાના કારણે લાલભાઇએ આવેશમાં આવી પોતાના બે વ્હાલસોયા બાળકો સાથે આપઘાત કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે સાચી હકીકત તો પોલીસ તપાસમાં જ સામે આવશે. 
Oct 15,2020, 23:47 PM IST
પિતાએ 2 પુત્રોને પીવડાવ્યું ઝેર, જુઓ વીડિયો
કપરાડાની મુખ્ય બજારમાં ટારઝન ફોટો સ્ટુડિયો ચલાવતા સોહિલ ખાન નામના ઈસમની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ફોટો સ્ટુડિયોમાં સોહિલના બે બાળકોના મૃતદેહો મળી આવતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પિતાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તો બંને બાળકોના મૃતદેહ નીચે જોવા મળ્યા હતા. બંને બાળકોના મૃતદેહના ગળાના ભાગે ઈજાના નિશાન સાથે મોઢામાંથી ફીણ જેવું પ્રવાહી પર નીકળતું દેખાયું હતું. પિતાએ બંને બાળકોને કઈ પીવડાવી કે ખવડાવી પોતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોય તેવી પ્રાથમિક રીતે જોવા મળી રહ્યું હતું. જોકે ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી.
Dec 17,2018, 10:35 AM IST

Trending news