બોર્ડની પરીક્ષા લોકડાઉન News

કોરોનાને કારણે વધુ એક ફટકો, બોર્ડના પેપર ચકાસણીની કામગીરી કરાઈ સ્થગિત
ગુજરાતમાં કોરોના વાયરસ (corona virus) ના 13 પોઝિટિવ કેસ સામે આવી ગયા છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો સાથે જ સરકારી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ પણ તકેદારી રાખી રહ્યાં છે. આવામાં તકેદારીના ભાગરૂપે ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી 31 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ની (board exam)  ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી કોરોના વાયરસને કારણે સ્થગિત કરાઈ છે. આ અંગે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને ધોરણ 10 અને 12ની ઉત્તરવહી ચકાસણી સ્થગિત રાખવા માંગ કરી હતી. ઉત્તરવહીઓની ચકાસણીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા માંગ કરી હતી.
Mar 21,2020, 17:15 PM IST

Trending news