રિશદ News

અઝીમ પ્રેમજીએ કહ્યું, 'મારો પુત્ર રિશદ વિપ્રોને નવી ઉંચાઇઓ પર લઇ જશે'
ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના દિગ્ગજ અઝીમ પ્રેમજીએ ગુરૂવારે કહ્યું કે કંપનીનું નેતૃત્વ કરવું તેમના જીવનનું સૌથી મોટું સૌભાગ્ય રહ્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો પુત્ર કંપનીને નવી ઉંચાઇઓ પર લઇ જશે. અઝીમ પ્રેમજી 30 જુલાઇના વિપ્રોના કાર્યકારી ચેરમેન પદેથી રિટાયર થઇ રહ્યા છે. પચાસ વર્ષ સુધી કંપનીની કમાન સંભાળ્યા બાદ પ્રેમજી જુલાઇના અંતમાં પોતાના પુત્ર રિશદ પ્રેમજીને કંપનીની કમાન સંભાળશે. જોકે તે જુલાઇ 2024 સુધી નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની રહેશે અને કંપનીના સંસ્થાપક ચેરમેન પણ રહેશે. રિશદ હાલમાં વિપ્રોના મુખ્ય રણનીતિ અધિકારી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય છે.
Jun 7,2019, 9:35 AM IST

Trending news