1 મેના સમાચાર News

મોટો લોચો, માત્ર એક એક્ટિવ કેસ છતાં જામનગર જિલ્લાને ઓરેન્જ ઝોનમાં મૂક્યું
કેન્દ્ર સરકાર દ્વારા આજે કોરોના (Coronavirus) સંક્રમણથી દેશના રેડ ઝોન અને ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન જિલ્લાઓની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાને રેડ ઝોનમાં રાખ્યા છે. તો 19 જિલ્લા ઓરેન્જ ઝોન અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં છે. જેમાં જામનગર (Jamnagar) જિલ્લાને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયો છે. જામનગરનો ઓરેન્જ ઝોન (orange zone) માં સમાવેશ કરાતા અસમંજસ થઈ હતી. જામનગરમાં માત્ર કોરોનાનો એક જ પોઝિટિવ કેસ અને એક મોત નોંધાયું છે. 5 એપ્રિલ બાદ જામનગરમાં એક પણ એક્ટિવ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આવામાં જામનગરને ગ્રીન ઝોનમાં સમાવેશ કરવા નાગરિકો દ્વારા માંગ ઉઠી હતી. ત્યારે મોડી રાત્રે જિલ્લા કલેક્ટર દ્વારા
May 1,2020, 23:25 PM IST
જાહેરમાં થૂંકનારા BJPના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મનપાએ 500નો દંડ ફટકાર્યો
May 1,2020, 22:38 PM IST
અમદાવાદમાં કોરોનાના કુલ 3293 કેસ, જોધપુર વિસ્તારમાં પણ વધ્યા કેસ
કોરોના મામલે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આ શહેરમાં હદ પાર થઈ ગઈ છે. માત્ર અમદાવાદમાં કોરોના (Coronavirus) ના કેસને કારણે ગુજરાત હાલ દેશમાં બીજા ક્રમે છે.  આજના અપડેટ મુજબ, ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 4721 છે. જેમાંથી અમદાવાદ (ahmedabad) ના જ 3293 કેસ છે. આજે ગુજરાતમાં કોરોનાના 326 નવા કેસ આવ્યા છે, જેમાંથી 267 માત્ર અમદાવાદના જ છે. હાલ અમદાવાદીઓ સૌથી વધુ હાઈરિસ્ક પર છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 399 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને 165 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મામલે શહેરના મેયર બીજલ પટેલે જણાવ્યું કે, શહેરમાં સ્થિતિ ગંભીર છે. શહેરીજનોને વિનંતી છે કેસરકારના આદેશનો અમલ કરો. ઘરમાં રહો અને સુરક્ષિત રહો. 
May 1,2020, 21:52 PM IST
1 મેના અપડેટ : વડોદરામાં કોરોનાના કેસનો આંકડો 308 પર પહોંચી ગયો
May 1,2020, 21:23 PM IST
1 મેના અપડેટ : કોરોનાના કેસ મામલે બીજા નંબરે આવેલા સુરતમાં કુલ કેસ 644 થયા
કોરોનાના કેસ મામલે સુરત શહેર ગુજરાત રાજ્યમાં બીજા ક્રમે આવી ગયું છે. આજે રાજ્યમાં કુલ 326 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસનો આંકડો 4721 પર પહોંચ્યો છે. તો કોરોના (Coronavirus) ના કેસ મામલે બીજા ક્રમે આવેલ સુરતમાં કેસનો આંકડો 644 પર પહોંચી ગયો છે. ગઈકાલે સુરતમાં 613 કેસ હતા. એક દિવસમાં સુરતમાં 31 નવા કેસનો વધારો થયો છે. સુરતમાં આજે કોરોના પોઝિટિવ દર્દીનું મોત નોંધાયું છે. આ સાથે જ સુરત (Surat) માં કુલ મૃત્યુઆંક 25 પર પહોંચી ગયો છે. 45 વર્ષીય દર્દી ભૂપત ઈન્દ્રપાલ નિશાદનું મૃત્યુ થયું છે. મૃતક ભૂપતભાઈ સુરતના ગણેશ નગરનો રહેવાસી હતા. કોરોનાના આ પોઝિટિવ દર્દીને એનિમિયાની પણ બીમારી હતી. તો સુરતમાં
May 1,2020, 20:55 PM IST
રાજકોટમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોનાનો કહેર ભૂલ્યા, રાહતના રસોડામાં માવો ખ
May 1,2020, 19:13 PM IST
સત્ય આવ્યું સામે... બિગબીએ આખરે કહ્યું કે ઋષિ કપૂરને હોસ્પિટલમાં કેમ મળવા ન ગયા
May 1,2020, 18:29 PM IST
જે બાળકીને હોસ્પિટલ મૂકીને માતાપિતા રાજસ્થાન ભાગી ગયા હતા, તેના અંતિમ સંસ્કાર એક સામ
અમદાવાદ (Ahmedabad) ની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી છ મહિનાની વ્હાલસોઇ દીકરીને કોરોનાના ડરથી માતા-પિતા ત્યાં જ મૂકીને રાજસ્થાન પલાયન થઇ ગયાનો ચોંકાવનારો બનાવ ગઈકાલે બન્યો હતો. જેમાં બાળકીનું મોત નિપજ્યું છે. માતા પિતા રાજસ્થાનમાં ક્વોરેન્ટાઈનમાં હોઈ તેઓ અંતિમ વિધીમાં આવી શક્યા ન હતા. જોકે, નરોડા પોલીસને બાળકીનો મૃતદેહ સોંપાયો હતો. માતા પિતા રાજસ્થાનમાં ક્વોરેન્ટાઈન હોઈ પોલીસને અંતિમવિધિ કરવાનું સંમતિ પત્ર આપ્યું હતું. બાળકીની અંતિમ વિધિ હિન્દુવિધિ મુજબ પોતે કરશે તેવી એક સ્થાનિકે આગેવાને પોલીસને અરજી કરી હતી. જે અરજીને પગલે સ્થાનિક આગેવાને મૃતદેહ સ્વીકારી સૈજપુર બોઘા સ્મશાન ગૃહમાં દફનવિધી કરી હતી. 
May 1,2020, 17:18 PM IST
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ માટે રાહતના સમાચાર, કુલ 62 રિપોર્ટ નેગેટિવ
જામનગર કોરોના અપડેટ (Coronavirus) સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ માટે રાહતના સમાચાર મળ્યા છે. જામનગર (Jamnagar) ની લેબમાં આજે 62 રિપોર્ટ નેગેટિવ હોવાનું જાણવા મળ્યું છે. જામનગર જિલ્લાના 20 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો સાથે જ પોરબંદરના 37 અને દ્વારકાના પણ 5 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે, જામનગર જિલ્લો હજી પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓરેન્જ ઝોનમાં છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આરોગ્ય સચિવ જયંતી રવિએ પોરબંદરમાં કોઈ પણ એક્ટિવ કેસ ન હોવાનું જણાવ્યું હતું. તો દ્વારકા જિલ્લામાં  અત્યાર સુધી કોરોનાની એન્ટ્રી થઈ નથી. ત્યાં સ્થાનિક તંત્ર દ્વારા શક્યત તમામ પગલા લેવામાં આવ્યા છે. 
May 1,2020, 16:12 PM IST

Trending news