1 may news News

સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ માટે રાહતના સમાચાર, કુલ 62 રિપોર્ટ નેગેટિવ
જામનગર કોરોના અપડેટ (Coronavirus) સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ માટે રાહતના સમાચાર મળ્યા છે. જામનગર (Jamnagar) ની લેબમાં આજે 62 રિપોર્ટ નેગેટિવ હોવાનું જાણવા મળ્યું છે. જામનગર જિલ્લાના 20 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો સાથે જ પોરબંદરના 37 અને દ્વારકાના પણ 5 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે, જામનગર જિલ્લો હજી પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓરેન્જ ઝોનમાં છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આરોગ્ય સચિવ જયંતી રવિએ પોરબંદરમાં કોઈ પણ એક્ટિવ કેસ ન હોવાનું જણાવ્યું હતું. તો દ્વારકા જિલ્લામાં  અત્યાર સુધી કોરોનાની એન્ટ્રી થઈ નથી. ત્યાં સ્થાનિક તંત્ર દ્વારા શક્યત તમામ પગલા લેવામાં આવ્યા છે. 
May 1,2020, 16:12 PM IST

Trending news