16 મેના સમાચાર 0 News

કોરોનાથી સૌથી વધુ મોતમાં ટોપ-3 રાજ્યોમાં ગુજરાત પણ સામેલ
દરરોજ રેકોર્ડ કોરોના વાયરસ (Coronavirus)ના નવા કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં અત્યારે કોરોના (Covid-19 In India) સંક્રમિતોની કુલ સંખ્યા 86 હજારની નજીક પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 3 હજારની નજીક પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 (COVID-19)ના કુલ 3970 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 85,940 થઈ ગઇ છે. આ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 103 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2,752 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસના 53035 એક્ટિવ કેસ (સારવાર ચાલી રહી છે) છે અને 30,153 લોકો સ્વસ્થય થઈ ગયા છે. ત્યારે હવે લાગે છે કે, લોકોએ કોરોના વાયરસ સાથે રહેવાની આદત પાડી દેવી જોઈએ. કેમ કે, કોરોના વાયરસના કેસ સતત 50 દિવસોથી વધી રહ્યાં છે. કોરોનાથી દેશમાં જીવ ગુમાવનારાઓમાં સૌથી વધુ લોકો મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળથી છે. દેશમાં 78 ટકા લોકોના મોત આ ચાર રાજ્યોમાંથી થયા છે. 
May 16,2020, 19:02 PM IST
‘કેમ ગાડી ફૂલ સ્પીડમાં હંકારી રહ્યા છો...’ તેમ કહી સુરતમાં પોલીસનું તબીબ સાથે ગેરવર્
May 16,2020, 17:43 PM IST
શ્રીમંતનો પ્રસંગ કોરાણે મૂકીને સાત માસના ગર્ભ સાથે મોરબીના નર્સ બન્યા કોરોના વોરિયર્
સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ છે ત્યારે આ મહામારીના સમયમાં પણ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા પુનમબેન જોષી સમગ્ર મોરબી જિલ્લાની તમામ નર્સ બહેનો માટે પ્રેરણાદાયી છે. પૂનમ બેનને સાત માસનો ગર્ભ હોવા છતાં પણ કોરોનાની મહામારીમાં સતત કાર્યરત છે. તેમનું માનવું છે કે, ભલે અત્યારે પ્રેગનન્ટ હોય અને પેટમાં સાત માસનો ગર્ભ હોય, પરંતુ આવા કપરા કાળમાં રાષ્ટ્રની સેવા કરવાનો મોકો મળ્યો તે સૌથી મોટી ખુશી છે. કોરોના મહામારી વચ્ચે પોતાના શ્રીમંત પ્રસંગ મુલતવી રાખીને પણ તેઓ આરોગ્ય વિભાગની સેવામાં સતત જોડાયેલ રહ્યા છે. પૂનમબેનની નિષ્ઠા પૂર્વકની ફરજને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે અને સાથે સાથે ગર્વ પણ અનુભવી રહ્યા છે. 
May 16,2020, 16:57 PM IST
લોકડાઉનમાં ખેડૂતોને તેમના કામ માટે રોકવામા નહિ આવે : રાજ્યના પોલીસવડા
ગુજરાતમાં લોકડાઉનના 53મા દિવસે કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, લોકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં જાહેરમાં તમામ સ્થળોએ શાંતિપૂર્ણ રીતે અમલ થાય તે રીતે છૂટછાટ અપાય છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ થાય તે માટે પોલીસ સુરક્ષા વ્યવસ્થા જાળવી રહી છે. કન્ટેમેન્ટ સિવાયની વિસ્તારમાં દુકાનો ખુલ્લી રાખવાની છૂટછાટ અપાઈ છે. તો પ્રિબંધિત સેવા કે દુકાન ચાલુ ન રહે તે માટો પોલીસ નજર રાખી રહી છે. લોકોને અપીલ છે કે, જેટલી છૂટ અપાઈ છે તેમાં જ છૂટછાટ ભોગવે. શાકભાજી અને કરિયાણાની દુકાનો માટે 10 થી 3 સુધીની છૂટ છે. આ સમય દરમિયાન જ લોકો બહાર નીકળે. સાંજના 7 વાગ્યાછી 7 વાગ્યા સુધી ઈમરજન્સી સિવાય તમામ સેવા અને વેચાણ બંધ રાખવામાં આવશે. તો સાથે જ ખેતી માટે અને ખેતી સંલગ્લન પ્રવૃત્તિઓને લોકડાઉમાંથી મુક્તિ અપાઈ છે. ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવશે નહિ, આ માટે જરૂરી તમામ સૂચનાઓ તમામ પોલીસ કર્મચારીઓને આપી દેવાઈ છે. ખેતપેદાશો વેચવા માટે પણ લોકડાઉનમાંથી મુક્તિ અપાઈ છે. 
May 16,2020, 16:31 PM IST

Trending news