21 જુલાઈના સમાચાર News

સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક મળી, કેશુભાઈના આર્શીવાદ લઈ દિલ્હી જવા રવાના થયા
નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ (CR Patil) ની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની પ્રથમ બેઠક મળી હતી. જેમાં આગામી કાર્યક્રમો અને ટીમ પાટીલ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણી અને સંગઠન સરચના અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી. નવનિયુક્ત પ્રદેશ ભાજપ (bjp) પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહેલી બેઠક મળી હતી. પ્રદેશ ભાજપની આ બેઠકમાં આગામી સમયમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીઓ અને સંગઠન સંરચના અંગે રોડ મેપ તૈયાર કરવા ચર્ચા થઈ. નવા પ્રમુખની નવી ટીમ અને તેમના કાર્યક્રમો અંગે રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીષે માર્ગદર્શન આપ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખનો પદભાર સાંભળતાની સાથે જ યોજાયેલ આ બેઠકમાં રાષ્ટીય સહસંગઠન મહામંત્રી વી સતીષ, પૂર્વે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી,પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દાલસાણીયા, મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, કે.સી.પટેલ, ભરતસિંહ પરમાર, ઉપાધ્યક્ષ ભાર્ગવભટ્ટ, આઈ.કે.જાડેજા અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા હાજર રહ્યા. 
Jul 22,2020, 12:38 PM IST
નામ લીધા વગર ભાજપના નવા પ્રમુખે હાર્દિક પટેલ પર કર્યો મોટો કટાક્ષ, જુઓ શું કહ્યું...
ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી આર પાટીલે (cr patil) કાર્યભાર સંભાળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. ત્યારે તેઓએ કહ્યું હતું કે, ભાજપમાં પ્રમુખપદની જવાબદારી પણ સહજતાથી બદલાય છે અને હું તેનું ઉત્તમ ઉદાહરણ છું. અકલ્પનીય જવાબદારી મને સોંપી છે. હું ખાતરી આપું છું કે ભાજપના કાર્યકરોની શક્તિનો ઉપયોગ કરવામાં આવશે. ટેકનોલોજીના આધારે નોખું કરવામાં આવશે. હાલ કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. ભાજપને વધુ મજબૂત કરવાની કામગીરી કરીશ. આ ઉપરાંત હાર્દિક પટેલનું નામ લીધા વગર સીઆર પાટીલે વળતો ઘા કર્યો કે, જે વ્યક્તિ ચૂંટણીમાં પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યો નહતો, તે શું કરી શકશે. 
Jul 21,2020, 14:52 PM IST
ભાજપ સામાન્ય કાર્યકર્તાને તક આપે છે અને કાર્યકરોને જવાબદારી મળશે : વિજય રૂપાણી
સુરતના સીઆર પાટીલ (cr patil) આજે ગુજરાત ભાજપના 13મા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. કમલમ ખાતે વિધિવત રીતે તેઓને ગુજરાત ભાજપનો કાર્યભાળ સંભાળ્યો હતો. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ભાજપમાં અધ્યક્ષ પદ મહત્વનું છે. વિચારધારાનો સંઘર્ષ હમેંશા ગુજરાત ભાજપે કર્યો છે અને દેશને નવી દિશા આપી છે. નવનિર્માણના સમયથી પીએમ મોદી ગુડ ગવર્ન્સ ની દિશા આપી રહ્યા છે. રાષ્ટ્રીય નેતૃત્વએ સી.આર. પાટીલને જવાબદારી આપી છે. અનેક પડકારો આપણે ઝીલવાના છે.  પેટાચૂંટણી જિલ્લા પંચાયત તેમજ વિધાનસભાની પેટાચૂંટણીઓના પડકાર ઝીલવાના છે. એમાં પાછી પાની કરવાની નથી. દેશ ભરમાં ટુકડા ગેંગ છે. જે ભાજપની વિચારધારા કમિટમેન્ટ અને સપના સાકાર થઈ રહ્યા છે, આપણે આ લડાઈ લડવાની છે. કાર્યકર્તાઓને પ્રેરણા મળી રહે. પાર્ટીમાં વિશ્વાસ રહે. વિચાર ધારાની લાગણીઓ વધુ ધારદાર બને એ સંગઠનની જવાબદારી છે. આજે અનેક રાજ્યોમાં આપણી સરકાર છે. ગુજરાતમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગર પાલિકામાં આપણે સત્તા પર છીએ. ગુજરાત સંગઠન, વિકાસ તમામ સ્તરે નંબર વન છે. કોંગ્રેસ હારી ગઈ છે અને આપણે સતત આગળ વધીશું.
Jul 21,2020, 14:14 PM IST
શુભ મુહૂર્તમાં સીઆર પાટીલે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો
ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે (cr patil) પોતાનો પરિવાર અને ટેકેદારોની હાજરીમાં પદભાર સંભાળ્યું છે. વિજય મુહૂર્તમાં તેઓ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. લાંબા સમયથી ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે નવા ચહેરાની વિચારણા ચાલી રહી હતી, ત્યારે સીઆર પાટીલને તેમાં સ્થાન મળ્યું છે. આમ, ગાંધીનગરમાં સુરતનું સ્થાન મજબૂત બન્યું છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને સી.આર.પાટીલ પરત સર્કિટ હાઉસ ફર્યા હતા. સર્કિટ હાઉસમાં તેમના પરિવાર દ્વારા મોઢું મીઠું કરાવવાથી માંડીને ફટાકડા ફોડીને સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પ્રદેશ કાર્યાલય પર સાંસદો, મંત્રીઓ, કાર્યકરો પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ નવા પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. 
Jul 21,2020, 13:11 PM IST
શ્રાવણ મહિનો શરૂ,  કોરોનાને કારણે દૂરથી ભોળેશંકરને પૂજવા પહોંચ્યા ભક્તો
જીવન શિવના એક આકારનો મહાપર્વ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસનો આજે પહેલો દિવસ ત્યારે શિવ ભક્તો ગુજરાતભરના શિવમંદિરોમાં ઉમટી પડ્યાં છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું અભૂતપૂર્વ મહત્વ છે. શ્રાવણ મહિનો આવતા જ સમગ્ર ધરતી લીલા રંગમાં સજી જાય છે. આ મહિનાને ભોલેનાથનો પ્રિય મહિનો કહેવામાં આવે છે. તેથી શિવભક્ત શ્રાવણ મહિનામાં તેમનો અભિષેક કરે છે. આ મહિનામાં ભોલેશંકરની પૂજા કરવી, કાવડ ચઢાવવું, રુદ્રાભિષેક કરવો, શિવ નામનો જાપ કરવો, જ્યોર્તિલિંગના દર્શન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે. જોકે, આ વર્ષે કોરોના મહામારી વચ્ચે શિવાલયોમાં ભક્તોની ભીડ ઓછી જોવા મળી છે. પરંતુ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવશંકરની આરાધના અને જલાભિષેક કરી રહ્યાં છે. 
Jul 21,2020, 8:58 AM IST
શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે સોમનાથ મંદિરમાં કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા
કોરોના ગ્રહણ વચ્ચે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ગુજરાતભરના શિવ મંદિરોમાં આજે ભક્તો માટે અનેરો દિવસ છે. ગુજરાતમાં સૌથી વધુ આકર્ષણ સોમનાથના મંદિર (somnath temple) નું હોય છે. પરંતું ગીર સોમનાથના સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે કોવિડની ગાઈડલાઇનના ધજાગરા ઉડેલા જોવા મળ્યા હતા. શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ જામી હતી. તો સાથે જ ધક્કામુક્કી અને ટોળા થવાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોતા રહી ગયા. કોવિડની ગાઈડલાઇનના ચુસ્ત પાલન માટેના ટ્રસ્ટ અને તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. 
Jul 21,2020, 8:33 AM IST

Trending news