Abolish the movement News

LRD વિવાદ: સવર્ણવર્ગ દ્વારા આંદોલન સમેટવાની જાહેરાત, અનામત વર્ગની માંગ યથાવત્ત
 ગુજરાતનાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 1-8-18નાં પરિપત્રનો વિવાદ થયો હતો. જે અંગે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ વચ્ચે ઘર્ષણનું વાતાવરણ પેદા થયું હતું. અનામત અને બિન અનામત બંન્ને વર્ગો દ્વારા પોતાને અન્યાય થઇ હોવાનાં કારણે ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકાર તરફથી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ગૃહ સચિવ સંગીતા સિંઘ અને પોલીસ ભરતીબોર્ડનાં ચેરમેન વિકાસ સહાય અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં 62.5થી વધારે માર્ક મેળવનાર તમામ મહિલાઓની ભરતીની જાહેરાત સરકારે કરી હતી. 
Feb 17,2020, 19:25 PM IST

Trending news