Four marriages News

ચાર લગ્ન કરીને પણ ખુશ નહી થતા યુવકે પાંચમા લગ્ન કર્યા પરંતુ દુલ્હન એવી નિકળી કે યુવક
જિલ્લામા બારેજાના યુવકે લૂંટેરી દુલ્હનના કારણે આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ચાર વખત લગ્નમા નિષ્ફળતા મેળવ્યા બાદ લૂંટેરી દુલ્હનનો શિકાર થતા આપઘાત કર્યો હતો. પોલીસે બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી હતી. જયારે લૂંટેરી દુલ્હન અને તેની માતાની શોધખોળ શરૂ કરી છે. પોલીસ કસ્ટડીમા જોવા મળતા આ આરોપીઓ આશાબેન, રાજુભાઈ અશ્વિન, મુકેશ અને સુફીયાના છે. આરોપીઓએ પૈસાની લાલચમા લૂંટેરી દુલ્હન સાથે બારેજાના યુવકના લગ્ન કરાવ્યા હતા. લગ્નના દસ દિવસમા લૂંટેરી દુલ્હન ફરાર થઈ જતા યુવકે આપઘાત કરી લીધો. ઘટનાની વાત કરીએ તો બારેજામા રહેતા હિતેષ સોલંકીએ વલસાડના રાજુભાઈ અને આશાબેનના સંપર્કમા આવ્યો હતો. આ આરોપીએ દોઢ લાખ રૂપિયા લઈને મુંબઈના રાણી નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. આ રાણી લૂંટેરી દુલ્હન નીકળી હતી. 
Mar 28,2022, 16:46 PM IST

Trending news