Gambler News

અમદાવાદ: વેજલપુર પોલીસ સ્ટેશનમાં જુગારીનું કસ્ટોડિયલ ડેથ, પરિવારનો હોબાળો
શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ મોતનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ. શહેરના 3 પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ વેજલપુરમાં દોડી આવ્યા હતા. જોકે પોલીસ અધિકારીનું કેહવું છે કે, મરનારને અતિગંભીર બીમારી હતી. જેના કારણે કુદરતી મોત થયું છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં રડી રહેલ આ પરિવારજનોએ પોતાના ઘરના મોભીને ગુમાવી દીધા છે. પરિવાર પોલીસ ઉપર આરોપ પણ મૂકી રહ્યાં છે. પરિવારજનોનું કેહવું છે કે, તેમના પિતાને બીમારી હતી અને જેની દવા રાતે પોલીસ કર્મચારીઓ આપવા ના દીધી. જેના કારણે મોત થયું છે. મરનાર અબ્દુલ કાદરને જુગાર ચલાવવાના કેસમાં 7 આરોપીને  લાવવામાં આવ્યા હતા. જે તમામને ગઈ રાત્રીથી નજરકેદમાં હતા.
Sep 27,2020, 17:44 PM IST

Trending news