Grishma murder case News

ગ્રીષ્મા હત્યા કેસ: અનેક ઉદ્યોગપતિઓ પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા
શહેરના કામરેજના પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યાના પડઘા ન માત્ર તંત્ર પરંતુ સામાજિક બંધનો પર પણ પડી રહી છે. સમાજમાં પણ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આજે પાટીદાર સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ગ્રીષ્મા વેકરીયાના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા વેકરિયા પરિવાર સાથે મુલાકાત યોજવામાં આવી હતી. ગ્રીષ્માની જે રીતે હત્યા થઇ તેના કારણે સમગ્ર સમાજ શોકાતુર બન્યો છે. પાટીદાર સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓને પરિવારે કહ્યું હતું કે, ભલે અમારા પરિવારની દીકરી સાથે આવી કરૂણ ઘટના બની પરંતુ અન્ય દીકરીઓ સાથે ન બને તે માટે કાયદાકીય ઉપરાંત સામાજિક રીતે પણ કડક પગલા ભરવામાં આવે તે જરૂરી બન્યું છે. 
Feb 16,2022, 22:19 PM IST

Trending news