Gujarat by election 2019 News

એડીચોટીનું જોર લગાવવા છતાં ઉત્તર ગુજરાતમા હાર્યું ભાજપ, પરંપરાગત સીટ પણ હા
Oct 24,2019, 17:11 PM IST
બંને પક્ષપલટુઓ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપને ન ફળ્યા, બે રાઉન્ડમાં
Oct 24,2019, 9:16 AM IST
છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવ્યા, પણ અલ્પેશ ઠાકોર-રઘુ દેસાઈ નહિ આપી શકે વો
રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. બાયડ બેઠકથી ભાજપ (BJP) ના ઉમેદવાર ધવલસિંહ ઝાલા ધરમળી વાટા ગામે મતદાન કરશે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને જગદીશ પટેલ સહિતના મહારથીઓનું ભાવિ મતદારો નક્કી કરશે. ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકો પર મતદાન શરૂ થયું છે. રાધનપુર (Radhanpur) અને બાયડ (Bayad) બેઠક પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (DhavalSinh Zala)  કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પેટાચૂંટણીમાં મહત્વની એવા રાધનપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ (Congress) ના બંને ઉમેદવારો અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઇ (Raghu Desai) મતદાન નહિ કરી શકે.
Oct 21,2019, 8:48 AM IST
અમરાઈવાડી બેઠકનું ગણિત : બે પાટીદાર નેતા વચ્ચે સીધો જંગ, કોણ ફાવશે?
અમદાવાદ (Ahmedabad) શહેરની અમરાઇવાડી (Amraiwadi) વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો (Patidar) નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો છે. નવાઇની વાત એ છે અમદાવાદની આ બેઠક માટે બંને નેતાઓ મહેસાણા (Mehsana) જિલ્લાના કડીના વતની છે. ભારતીય જનતા પાર્ટી (BJ))એ આ બેઠક પરથી સંધના કાર્યકર જગદીશ પટેલને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે (Congress) પાટીદાર નેતા ધર્મેન્દ્ર પટેલ પર દાવ લગાવ્યો. શહેરી બેઠક હોવાથી સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટીનું પલડુ ભારે હોય પણ અહી સમીકરણ અલગ જોવા મળે છે. એવું એટલા માટે કે બંને પાટીદાર નેતાઓઓ અન્ય જ્ઞાતિના મતદારો પર આધાર રાખવાનો રહે છે. ત્યારે આવતીકાલે વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) પહેલા બેઠકનું ગણિત જોઈએ.
Oct 20,2019, 13:06 PM IST
બાયડ બેઠકનું ગણિત : કોંગ્રેસની પરંપરાગત બેઠકને ધવલસિંહ ઝાલા ભાજપની ઝોળીમાં
ગુજરાત (Gujarat VidhanSabha By Election 2019) રાજ્યની સ્થાપના બાદ યોજાયેલી તમામ ચૂંટણીઓમાં બાયડ (Bayad) વિધાનસભાની ચૂંટણીઓ થઇ તમામ વાર બાયડના જન પ્રતિનિધિ ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા છે. આ બેઠક પરથી સાત વાર કોંગ્રેસ, બે વાર સ્વતંત્ર, એક વાર અપક્ષ અને ત્રણ વાર ભાજપ (BJP) નો વિજય થયો છે. એટલે ઇતિહાસ કોંગ્રેસ (Congress) ના પક્ષમાં છે. બાયડની વિધાનસભા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે, જેમાં ભાજપ ગાબડું પાડી ચૂક્યું છે, પણ છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ ફરીથી સત્તા પર છે. ત્યારે ભાજપ અરવલ્લી જિલ્લા પોતાનું ખાતું ખોલાવવા મરણીયા પ્રયાસ કરશે. વર્તમાનમાં ભાજપાની સરકાર છે અને પાંચ દિવસ બાદ બાયડ પર કોણ ચૂંટાશે તેના પર લોકોની નજર છે. ભાજપના ધવલસિંહ ઝાલા (DhavalSinh Zala) અને કોંગ્રેસના જશુભાઈ પટેલ (Jashu Patel) વચ્ચે અહીં સીધી ટક્કર છે.
Oct 18,2019, 16:15 PM IST
ખેરાલુ બેઠકનું ગણિત : વર્ચસ્વ ઠાકોરોનું, બંને ઉમેદવાર પણ ઠાકોર, નિર્ણય હવે
21 તારીખના રોજ યોજાનારી રાજ્યની 6 વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ઓમાં મહેસાણા (Mehsana) જિલ્લાની ખેરાલુ (Kheralu) બેઠકનો સમાવેશ થાય છે. જ્યારથી ગુજરાત રાજ્ય અસ્તિત્વનાં આવ્યુ ત્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી છે. ભરતજી ડાભી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પરથી વિજેતા થતાં અહી પેટાચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ (Congress) તરફથી બાબુજી ઠાકોર (Babuji Thakor) તો ભાજપ (BJP) તરફથી અજમલજી ઠાકોર (Ajmalji Thakor) સામસામને ટકરાશે. રાજકીય સમીકરણની વાત કરીએ તો ખેરાલુ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજ (Thakor Samaj) નું પ્રભુત્વ રહેલું છે. જેથી હાલ બંને પક્ષો દ્વારા ઠાકોર સમાજના ઉમેદવારોને મેદાને ઉતારાયા છે. ત્યારે આવો જોઇએ આ બેઠકનું જ્ઞાતિ સમીકરણ શું કહે છે...
Oct 18,2019, 13:20 PM IST
ચૂંટણી પહેલા થરાદનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસના દિગ્ગજ નેતા માવજી પટેલ ભા
Oct 17,2019, 14:40 PM IST
21 ઓક્ટોબરે વોટ આપતા પહેલા જાણી લો રાધનપુરનું ‘રાજકીય ગણિત’ કેવું રહ્યું છ
રાધનપુર (Radhanpur) વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) પર રાજ્ય આખાની નજર ટકેલી છે. કેમકે આ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર (alpesh thakor) ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. કોંગ્રેસ (Congress) માંથી ચૂંટાયેલા અને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી ભાજપ (BJP) નો ખેસ ધારણ કરનાર અલ્પેશની શાખ આ બેઠક પર દાવે લાગી છે. તેમની સામે કોંગ્રેસે રઘુ દેસાઇ (Raghu Desai) ને મેદાને ઉતાર્યા છે. આ બેઠકના ઇતિહાસની વાત કરીએ તો ઠાકોર સમાજ અને ત્યાર બાદ ચૌધરી સમાજના ધારાસભ્યો અહીંથી ચૂંટાયા આવ્યા છે. ભાજપાના દિગ્ગજ નેતા શંકર ચૌધરી (Shankar Chaudhary) ત્રણ વાર આ બેઠક પરથી ચૂંટાયા હતા. જોકે વર્ષ 2010માં નવુ સીમાંકન આવતાં તેમણે બેઠક છોડવાનો વારો આવ્યો હતો. ત્યારે આ બેઠકના ગણિત પર એક નજર કરીએ.... 
Oct 17,2019, 13:24 PM IST
વડીલોને પણ વાંકા વાળશે ભાજપનું નેતૃત્વ : સાંસદ પરબત પટેલે થરાદના ઉમેદવારને
Oct 2,2019, 8:20 AM IST

Trending news