Lajpor jail News

પાટીદાર અનામત આંદોલનને નવો કેપ્ટન મળ્યો, અલ્પેશ કથીરિયા હશે નવો ચહેરો, હાર
 સુરતની લાજપોર જેલમાંથી 3 મહિના 20 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ આજે અલ્પેશ કથીરિયાની મુક્તિ થઈ છે. તેના સ્વાગત માટે સુરતથી નીકળેલી સંકલ્પ યાત્રામાં જે રીતે પાટીદાર યુવકોનું લોકજુવાળ એકઠું થયું છે, તે જોતા પાટીદાર અનામત આંદોલનને નવો ચહેરો મળ્યો છે, તે સ્પષ્ટ દેખાયું છે. અલ્પેશની રેલીમાં જે રીતે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા છે, તે જોતા હવે અલ્પેશને આ અનામતનું નેતૃત્વ સોંપાય તેવું સ્પષ્ટ દેખાય છે. તો બીજી તરફ, હાર્દિક પટેલે પણ પોતાના નિવેદનમાં સંકેત આપ્યો છે કે, હવે અલ્પેશભાઈ કહેશે તેમ આંદોલન ચાલશે. લોકોએ અલ્પેશભાઈનું નેતૃત્વ સ્વીકાર્યું છે. અલ્પેશભાઈ અમારો મુખ્ય ચહેરો છે. 
Dec 9,2018, 13:19 PM IST

Trending news