Lokmanya school News

પ્રિન્સીપાલને બચાવવા વિદ્યાર્થીઓ મેદાને, કહ્યું-અમને આચાર્ય જ જોઈએ, નહિ તો LC લઈ લઈશ
સુરતની લોકમાન્ય વિદ્યાલયમાં પ્રિન્સિપાલને કાઢી મુકવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. રાંદેરના મોરાભાગળ પાસે આવેલી લોકમાન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શાળાના ટ્રસ્ટીઓએ પ્રિન્સિપાલ જીજ્ઞેશ પટેલને છુટા કરી દેવામાં આવતા રેલી કાઢી વિરોધ કર્યો.વિદ્યાર્થીઓને 12માં કોમર્સમાં JEEની પ્રેક્ટિસ કરાવવાના પ્રસ્તાવનો પ્રિન્સિપાલે વિરોધ કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાયન્સ અને કોમર્સના ક્લાસ મામલે વિવાદ થયો હતો. મીટિંગમાં પણ માત્ર ટ્રસ્ટીઓનું જ સાંભળવામાં આવી હોવાનો દાવો છે. પ્રિન્સિપાલને છુટા કરી દેવાના વિરોધમાં શાળાના વિદ્યાર્થી અને વાલીઓ એ મોરભાગળથી રેલી કરી. જેમાં મોટી માત્રામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ રેલીમાં જોડાયા હતા.
May 9,2022, 16:15 PM IST

Trending news