Lovers suicide News

‘સમાજ અમને એક નહિ થવા દે...’ એ બીકે એક ફળિયામાં રહેતા પ્રેમીઓએ કૂવામાં છલાંગ લગાવી
પંચમહાલના શહેરા તાલુકાના ગાંગડીયા ગામમાં પ્રેમી પંખીડાએ કૂવામાં મોતની છલાંગ લગાવી છે. ગેંગડીયા ગામના નવાપૂરા પટેલ ફળીયાની પ્રેમીપંખીડાએ મોતનું પગલુ અપનાવ્યું છે. એક જ ફળીયામાં રહેતા પ્રેમી પંખીડાને સમાજ એક નહિ થવા દે એ બીકે જીવન ટૂંકાવ્યું છે. 3 દિવસ પહેલા ગામમાંથી વિપુલ અને સેજલ નામના પ્રેમી પંખીડા ફરાર થયા હતા. વિપુલ અને સેજલે ઘરથી આશરે ૮૦૦ મીટરના અંતરે આવેલ કુવામાં ઝંપલાવ્યું હતું. પ્રેમ પ્રકરણને લઈ ગત રાત્રે જ ગામઠી પંચાણુ થયુ હતું. ત્યારે આજે શહેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કૂવામાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતદેહોને શહેરા રેફરલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા છે. 
Jun 20,2020, 16:38 PM IST

Trending news