Vandalized News

AHMEDABAD માં કાયદાની કથળતી સ્થિતિ, નરોડામાં જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને તોડફોડ
શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કૃષ્ણનગર ચાર રસ્તા પાસે આવેલા એક જ્વેલર્સમાં આઠ થી દસ અસામાજિક તત્વો લાકડી ઓ સાથે ઘુસી આવ્યા હતા અને તોડ ફોડ કરી આતંક મચાવ્યો. ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. અંગત અદાવત કે કોઈ અન્ય કારણે તોડફોડ, જાહેરમાં હુમલાઓ, માર મારવો જેવી ઘટનાઓ છાસવારે બનતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે બન્યો. જ્યોતિ જ્વેલર્સમાં કેટલાક અસામાજિક તત્વો લાકડી અને અન્ય હથિયાર લઈને ઘૂસ્યા હતા અને આડેધડ તોડફોટ કરી હતી. જોકે,આ અંગે જ્વેલર્સ માલિકે તરત પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. તોડફોડની સમગ્ર ઘટના જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. 
Mar 25,2021, 23:26 PM IST

Trending news