What is this News

ભાવનગરની જાહેર સભામાં CM સામે જીતુ વાઘાણીએ વાટ્યો ભાંગરો, પાટીલે કહેવું પડ્યું શું બ
ભાવનગરમાં ભાજપ દ્વારા પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. જો કે આ સભા વિશેષ રહી હતી. આ સભામાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા ભાંગરો વાટવામાં આવ્યો હતો. જીતુવાઘાણીએ ભાંગરો વાટતા આર.સી ફળદુને પ્રદેશ પ્રમુખ ગણાવ્યા હતા. જેના પગલે થોડા સમય માટે મુખ્યમંત્રી અને પાટીલ બંન્ને અસહજ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમયનાં સ્ટાર પ્રચારક જીતુ વાઘાણીનો સમાવેશ આ વખતે સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ થયો નથી. સી.આર પાટીલનાં આવ્યા બાદ વાઘાણીને કદ એટલા વેતરી નાખવામાં આવ્યા છે. જેના કારણે પક્ષમાં હાલ તેઓ હાંસીયામાં ધકેલાઇ ગયા છે. તેવામાં સભામાં તેમણે વાટેલો ભાંગરો તેમને વધારે ભારે પડી શકે છે. 
Feb 12,2021, 23:01 PM IST

Trending news