Zakir khan News

કરોડની લેતીદેતીમાં NRI નું અપહરણ, ઝાકીર,ગઝલ, મોહમ્મદ સહિત 5 લોકોની ધરપકડ
કોસંબાથી NRIનું કરાયું અપહરણ: કોસંબા પોલીસે ગણતરીના કલાકમાં અપહરણનો ગુનો ઉકેલી નાખ્યો છે. ભરૂચના હિંગલોટ ગામની સીમમાં ફાર્મ હાઉસમાંથી અપહરણકારોની ચુંગાલમાંથી સુરક્ષિત છોડાવ્યો હતો. કરોડો રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા 6 અપહરણકારો ધરપકડ કરવામાં આવી. સુરતના કોસંબા વિસ્તારમાંથી એક એન.આર.આઈનું અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યાની ફરિયાદ કોસંબા પોલીસ મથકે નોંધાઇ હતી. કોસંબા પોલીસ તાત્કાલિક હરકતમાં આવીઘટના અંગે તપાસ કરતા ભરૂચના હિંગલોટ ગામની સીમમાંથી 6 અપહરણકારોની ચુંગાલમાંથી વ્યક્તિને સુરક્ષિત છોડાવ્યો હતો. ફાર્મ હાઉસમાંથી બે ફોરચ્યુનર કાર મળી આવી હતી. જોકે પોલીસ તપાસમાં કરોડો રૂપિયાની લેતી દેતી હોવાનું બહાર આવ્યું હતું. 
Nov 9,2020, 18:26 PM IST

Trending news