અમદાવાદમાં સ્થિતી ગંભીર News

ગુજરાતમાં આજના દિવસમાં કુલ 480 નવા કેસ, 319 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજનાં સરેસાથ 300થી વધારે અને છેલ્લા પાંચ દિવસથી તો 400થી પણ વધારે કેસ આવી રહ્યા છે. ત્યારે આજે ૪૮૦ નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે ૩૧૯ દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨,૫૧,૬૮૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 30 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં માત્ર અમદાવાદનાં જ 21 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 2, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને રાજકોટમાં 1-1 વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો ૧૨૪૯ પર પહોંચ્યો છે.
Jun 7,2020, 20:44 PM IST

Trending news