ભરૂચ: વિરવાડી ગામે નાળુ તૂટી પડતા સ્થાનિકોને કરવો પડ્યો હાલાકીનો સામનો

ભરૂચના ઝઘડિયા તાલુકાના વિરવાડી ગામે નાળુ તૂટી પડતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.. કોતર ઉપર બનાવેલા નાળાની નીચેનો પાયો તૂટી પડતા 15થી 17 ગામો સંપર્ક વિહોણા થયા છે... સ્થાનિકો પોતાના રીક્ષા છકડા અને વાહનો લઈને 30 કિ.મી ફરીને જવાની નોબત આવી છે..તો શાળાએ જતા બાળકોના વાહનો તેમજ એસ.ટી બસ પણ ભંધ થઈ છે.

Trending news