કેતન ઇનામદારનાં રાજીનામા મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષની પત્રકાર પરિષદ

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જેને લઇ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ મોડી રાત્રે પત્રકાર પરિષદ સંબોધિ હતી. કેતન ઇનામદારની સાથે કાલે મારી મુલાકાત થવાની છે. તેમનાં વિકાસનાં કાર્યોનાં જે મુદ્દાઓ છે તેનો ઉકેલ અમે લાવીશું. કેતન ઇનામદાર સાથે 3-4 વખત વાતચીત થઇ છે. કેતનભાઇ લાગણીશીલ ધારાસભ્ય છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે ઘીના ઠામમાં ઘી ઢોળાયું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કામ નહી થતું હોવાથી કદાચ તેમને અસંતોષ હોય પરંતુ તેમને મનાવી લેવામાં આવશે.

Trending news