CCDના માલિક સિદ્ધાર્થનો મૃતદેહ નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો

મશહૂર કોફી ચેન કેફે કોફી ડે (CCD)ના માલિક અને પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થનો મૃતદેહ નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો છે. તેઓ સોમવારથી ગુમ હતાં. સિદ્ધાર્થના ડ્રાઈવરના નિવેદન બાદ તેમણે નદીમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સિદ્ધાર્થની શોધ માટે પોલીસકર્મી, તટરક્ષક દળ, મરજીવા અને માછીમારો સહિત 200 લોકો કાર્યરત હતાં.

Trending news