પીએમ મોદી અને જિનપિંગે લીધી પંચરથ મંદિરની મુલાકાત

ભારતની મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિ ચિનપિંગનું મહાબલિપુરમમાં વડાપ્રધાન મોદીએ શાનદાર સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ત્યાર પછી જિનપિંગને મહાબલિપુરમ મંદિરની મુલાકાત કરાવી હતી. મહાબલિપુરમ વિશાળ પરિસરમાં ફેલાયેલું પ્રાચિન મંદિર છે. અહીં તેમણે જિનપિંગને પંચરથ મંદિરની પણ મુલાકાત કરાવી હતી. અહીં રથના આકારમાં બનેલા પાંચ મંદિર છે, જેનું નિર્માણ દ્રવિડ વાસ્તુકલાથી કરાયું છે. જેના કારણે તેને પંચરથ મંદિર કહે છે.

Trending news