પીએમ મોદી અને જિનપિંગે લીધી શોર મંદિરની મુલાકાત

ભારતની મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ તમિલનાડુના પૌરાણિક મંદિર મહાબલિપુરમ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિને મહાબલિપુરમ મંદિરની મુલાકાત કરાવી હતી. વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિના ગાઈડ બન્યા હતા અને મંદિરના ઈતિહાસથી માંડીને વાસ્તુકળા સહિતની તમામ બાબતો વિગતવાર સમજાવી હતી. મહાબલિપુરમ મંદિરમાં બંને નેતાનો અંતિમ પડાવ શોર મંદિર હતું. શોર મંદિર સમુદ્ર કિનારે આવેલું છે અને દ્રવિડ વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે.

Trending news