દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇ મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાની પત્રકાર પરિષદ

દિલ્હી વિધાનસભાના ચૂંટણી કાર્યક્રમ અંગે ચૂંટણી પંચ જાહેરાત કરી દીધી છે. આજથી હવે આદર્શ આચારસ્ંહિતા પણ લાગુ થઈ ગઈ છે. દિલ્હીમાં મતદાન 8મી ફેબ્રુઆરીએ યોજાશે અને મતગણતરી 11મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે વિધાનસભા ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો છે. દિલ્હીમાં ગત વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 67 બેઠકો પર જીત મેળવી હતી.

Trending news