માનવતા ભૂલી લોકોએ લટકતી લાશ સાથે ખેંચી સેલ્ફી

અંકલેશ્વરના સાગબારા ફાટક પાસે આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઝાડ પર લટકી યુવાને આપઘાત કર્યો, ત્યારે લોકો તેની આગળ ઉભા રહી સેલ્ફી લઈ રહ્યા હતા. સોશિયલ મીડિયાની લ્હાયમાં લોકો મોતનો મલાજો પણ જાળવી શક્યા ન હતા. આ ઘટનાની જાણ થતા જ વહેલી સવારે ગ્રામજનો દોડી આવ્યા હતા. દઢાલ ગામના યુવાનેનો મૃતદેહ ઝાડ પર લટકતો જોઈ લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરંતુ સોશિયલ મીડિયાના તૂતે મોતનો પણ મલાજો ના જાળવ્યો. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.

Trending news