કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે પીએમ મોદીને ગણાવ્યા મોર્ડન ઔરંગઝેબ

લોકસભાની ચૂંટણી વચ્ચે નેતાઓના વિવાદિત નિવેદનોનો દૌર ચાલી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓના સીધા નિશાના પર નરેંદ્ર મોદી છે. પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ ના નારા લગાવ્યા ત્યારબાદ પ્રિયંકાએ અંબાલાની રેલીમાં પીએમ મોદીની તુલના દુર્યોધન સાથે કરી. ત્યારબાદ હવે કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે મંગળવારે ચૂંટણી પ્રચાર દરમિયાન વારાણસી ખાતે પીએમ નરેંદ્ર મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરતાં કહ્યું કે વારાણસીના લોકોને ઔરંગઝેબના આધુનિક અવતારને ચૂંટ્યા છે.

Trending news