શેરી મહોલ્લાની ખબર: દાહોદના આ વિસ્તરમાં રહિશોના હાલ ગંદકીથી બેહાલ

દાહોદ શહેરમાં આવેલ ગોધરા રોડ વિસ્તાર સ્થિત જનતા કોલોનીની આ વિસ્તારમાં 3 હજાર ઉપરાંત લોકો વસવાટ કરે છે. જોકે નગર પાલિકાની ઘોર બેદરકારીના કારણે આ વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ગટર યોજના સંપૂર્ણ નિષફળ નીવડી છે. વરસાદની સિઝનમાં તો આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. પરંતુ હાલ પણ ગટર યોજનાના કારણે પાણી બહાર આવી જાય છે જેના કારણે ગંદકીના ઢગ જોવા મળે છે. જેના લીધે આ વિસ્તારમાં મચ્છરો તેમજ જીવાતોનો અસહ્ય ત્રાસ સ્થાનિક રહીશોને વેઠવો પડે છે.

Trending news