શેરી મહોલ્લાની ખબર: મહિસાગરના સંતરામપુર વિસ્તારના લોકોને પીવાના પાણીની તકલીફ

સંતરામપુર નગર માં આવેલ કોલેજરોડ વિસ્તાર ના લોકો છેલ્લા 40 વર્ષ થી અહીંયા વસવાટ કરે છે પરંતુ તેઓ આજ દિન સુધી અનેક સમસ્યા થી પીડાઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા જે પાયા ની સુવિધા આપવામાં આવે છે તેનો જ અભાવ જોવા મળ્યો. અહીંયા ના લોકો ને પીવાના પાણી માટે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે અને વેચાતું પાણી લાવી ને પીવા નો વારો આવ્યો છે પાલિકા દ્વારા દર ત્રણ દિવસે પાણી આવે છે અને એ પણ ડહોળું હોવાથી પીવાના કામ માં પણ આવતું નથી અને પાણી ની લાઈન લીકેજ હોવાના કારણે રોડ પર પાણી ભરાઈ રહે છે અને મચ્છર નો ઉપદ્રવ વધી રહ્યો છે.

Trending news